SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિવાદન અને અનુમોદના સામાજિક જીવનમાં વર્ષોથી ચાલી આવતી પરંપરામાં “લગ્નનું આગવું મહત્ત્વ રહેલું છે. જેમાં સ્ત્રી-પુરુષ સાથે મળી, સુખ-દુઃખમાં જીવનભર સાથ નિભાવવા તેમજ નવું જીવન શરૂ કરવા માટે વિધિપૂર્વક અગ્નિસાક્ષીએ વચનબદ્ધ બને છે. લગ્ન એટલે સ્ત્રી-પુરુષનું મિલન. જેમાં માત્ર બે શરીરનું મિલન હોય તે ઘટનાને વાસનાની વિકૃતિ કહેવાય અને જેમાં બે આત્માઓનું મિલન થાય તે ઘટનાને સામાજિક સંસ્કૃતિ કહેવાય.' વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેની આ ભેદરેખા કાળક્રમે ભૂંસાતી રહી છે. પાશ્ચાત્ય જીવનશૈલીના દષ્ટિહીન અનુકરણ માટે ઉત્સુક બનેલી નવી પેઢી સામે, એ ભૂંસાતી જતી ભેદરેખાની ભવ્યતા અને દિવ્યતા પુનર્જીવિત કરવાનો ઉપક્રમ રાખીને આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. પુસ્તિકાનું કદ ભલે નાનું હોય, તેમાં લગ્નજીવનના પવિત્ર સંસ્કારોની સુગંધ સમાવવાનો ઉદ્યમ સ્પષ્ટ જોઈ શકાય છે. આ સુગંધ શાશ્વત છે. અત્તરનું પૂમડું કદમાં નાનું હોય, તેથી એની સુગંધની ગુણવત્તામાં શો ફરક પડે ? - શ્રીમતી જક્ષા સુનિલ શાહે “જૈન લગ્નસંસ્કારની સામગ્રી મેળવવા માટે અથાગ પુરુષાર્થ કર્યો છે. લગ્નવિધિમાં વપરાતી સામગ્રીઓનું વૈજ્ઞાનિક, સામાજિક તથા આયુર્વેદની દષ્ટિએ રહેલ મહત્ત્વનું વાચકને રસ પડે તે રીતે નિરૂપણ કરવામાં તેઓ સફળ રહ્યાં છે. પ્રાચીન પરંપરાઓને ક્યાંય ઘસરકો ન લાગે અને નવાં મૂલ્યોનું અભિવાદન કરવામાં જરાય પાછળ ન પડી જવાય એની સજ્જતા રાખીને તેમણે તૈયાર કરેલી આ પુસ્તિકા સૌ જૈનોને આપણો અમૂલ્ય વારસો જાળવી રાખવામાં પથદર્શક બનશે તેવી શ્રદ્ધા છે. એ માટે સમગ્ર જૈન સમાજ તેમનો ઋણી રહેશે. શ્રીમતી જક્ષાબહેનની નિષ્ઠા અને તેમના ઉત્સાહને બિરાદવીને, આ પુસ્તિકાનું સ્વાગત કરીએ છીએ... - સ્વાતિ ડી. નગરશેઠ પ્રમુખ, શ્રી જૈન શ્રાવિકા સેવા સંસ્થાન જ ન નમણાર I 16 For Private and Personal Use Only
SR No.020392
Book TitleJain Lagna Sanskar
Original Sutra AuthorN/A
AuthorJaksha Sunil Shah
PublisherJain Shravika Seva Samsthan
Publication Year2008
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy