SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન આઠમું संतोऽप्यसंतोऽपि परस्य दोषानोक्ताः श्रुता वा गुणमावहंति । वैराणि वक्तु: परिवर्धयति श्रोतुश्च तन्वंति परां कुबुद्धिम् ॥१॥ ભાવાર્થ –પરપુરૂષના છતા દોષ અથવા અછતા દેશે બોલવાથી અથવા સાંભળવાથી કેઈપણુ ગુણ ઉત્પન્ન થતા નથી, પરંતુ દેશે બોલવાવાળાને વેરની વૃદ્ધિ થાય છે, અને સાંભળવાવાળાને બેટી બુદ્ધિ ઉત્પન્ન કરે છે. આ ઉપર કહેલ હેતુથી જ ફૂષણવાળા પુરૂષોના દે ન અંગીકાર કરતાં ગુણી પુરૂષના ગુણને પક્ષપાત કર. ગુણી પુરૂષના ગુણ ગ્રહણ કરવાની ઈચ્છાદ્વારા આપણામાં પણ સદગુણેની ઉત્પત્તિ થાય છે અને તે સગુણોની ઉત્પત્તિ થવાથી આ લેકમાં પણ યશ, રૂપ, સુખ અને પરલોકમાં પણ સાગતિનાં: સુખની પ્રાપ્તિ થાય છે. ૨૨. દેશ તથા કાવિરુદ્ધ આચારને ત્યાગ કરે. અકાળ અને અદેશમાં એટલે નિષેધ કરેલા દેશમાં તથા કાળમાં ગમન કરવું નહીં. નિષેધદેશ જેવા કે કારાગૃહ તથા વધ કરવાના સ્થાનમાં, તેમજ જુગારી લોકોના સ્થાનમાં તથા પરાભવના સ્થાનમાં અને ભંડારના મકાનમાં અને બીજાના અંતઃપુરમાં, ચોર-વેશ્યા-નટ આદિના સ્થાનમાં તથા નિષિદ્ધ કરેલ કાળમાં એટલે મધ્યરાત્રિમાં ગમન, ઈત્યાદિ સજજન પુરૂ ને કદીપણ કરવાં ઉચિત નથી. કારણ કે તે પ્રકારનાં સ્થાનમાં અથવા કાળમાં આચરણ કરવાથી પુરૂષને રાજા તથા ચોર વગેજેથી ઉપદ્રવ થાય છે, માટે અયોગ્ય દેશ તથા અયોગ્ય કાળનું આચરણ ન કરતાં દેશ તથા કાળનું આચરણ કરવું ઉચિત છે. For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy