SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપી સાધ્વીની કથા ( ૨૭૭) નિભપણે જોયુ હતું, તેમાં કોઈ પ્રકારનેા વિકારભાવ ન હતા.’ એટલે ગુરુએ તેને પ્રતિબેાધ આપવા માટે લક્ષ્મણા રાજપુત્રીનુ હૃષ્ટાંત કહી સંભળાવ્યું — “ ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરને વિષે જ ખુદાડિમ નામના રાજાની લક્ષ્મણા નામે ચુવાન પુત્રી હતી. તે સ્વયંવરમ`ડપમાં એક ચેાગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચારીમાં જ અકસ્માત્ તેના પતિ મરણ પામ્યા તેથી લક્ષ્મણાને અતિ દુ:ખ થવાથી તે વિલાપ કરવા લાગી. એટલે તેના પિતાએ તેને આશ્વાસનપૂર્વક શિખામણ આપતાં કહ્યું કે— હે પુત્રી ! કર્મની ગતિ વિચિત્ર છે માટે વિલાપ કરવાથી હવે શું થવાનુ છે? સૌ કોઈ ને કર્મના કાયદાને આધીન રહેવુ જ પડે છે; તે તુ જીવિત પંત હવે શીલનુ પાલન કર જેથી તારા આગામી ભવ સુધરે. ' ઇત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. 7 એક વખતે શ્રી જિનેશ્વર ભગવત તે નગરના ઉદ્યાનમાં સમવસર્યાં, એટલે રાજા પાતાની પુત્રી સહિત તેમને વંદના કરવા ગયા. ભગવંતને વંદન કરી તેમના મુખથી મધુર દેશના સાંભળતાં રાજા તથા લક્ષ્મણા અને પ્રતિમાય પામ્યા અને તરત જ તેમણે પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી લક્ષ્મણા પેાતાની ગુરુણી (પ્રવર્તિની ) સાથે રહીને સયમ પાળવા લાગી. એકદા પેાતાની ગુરુણીજી મહત્તરા )ના આદેશથી લક્ષ્મણા વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુનને ચૂંખનાદિપૂર્વ ક કામક્રીડા કરતું જોઈ ને તેણે વિચાર કર્યાં કે— અહા ! પતિથી વિયેગ પામેલી મને ધિક્કાર છે. અહા! આ પક્ષીએ પણુ. પ્રશંસા કરવા લાયક છે કે જે સાથે રહીને નિરંતર કામક્રીડા કરે છે. અહા ! જિનેશ્વરાએ આના સર્વથા નિષેધ કેમ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy