________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૬
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***********
આદિજિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોઢ ગયો તેણે નાસી, સુવિધિસું સિદ્ધચક્ર ઉપાસી, થયા સ્વર્ગના વાસી, આસો ચૈત્ર પૂરણમાસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાસી આદિ પુરુષ અવિનાશી. ૧ કેસર ચંદન મૃગમદ ધોળી, હરખેલું ભરી હેમ કચોળી શુદ્ધ જળે અંઘોળી, નવ આંબિલની કીજે ઓળી, આસો-સુદિ સાતમથી ખોલી પૂજો શ્રીજિન ટોળી, ચઉગતિ માંહે આપદા ચોળી, દુરગતિના દુઃખ દૂરે ઢોળી કર્મ નિકાચિત રોળી, કર્મ કષાયતણા મદ રોળી, જેમ શિવરમણી ભમર ભોળી પામ્યા સુખની ઓળી, ૨ આસો શુદ સાતમનું વિચારી, ચૈત્રી પણ ચિત્તનું નિરધારી નવ આંબિલની સારી, ઓળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ બે કીજે ધારી સિદ્ધચક્ર પૂજો સુખકારી, શ્રીજિનભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપો નર નારી જેમ લહીયે મોક્ષની બારી, નવપદ મહિમા અતિ મનોહારી, જિનઆગમ ભાખે ચમત્કારી જાઉં તેહની બલિહારી. ૩
શ્યામ ભ્રમર સમ વીણા કાલી, અતિ સોહે સુંદર સુકુમાળી જાણે રામરાળી, ઝલહલ ચક્ર ધરે રુપાલી, શ્રીજિનશાસનની રખવાળી ચક્કેસરી મેં ભાળી,
For Private And Personal Use Only
***