________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) . ઉપરના બે ઉપવર્ગમાંથી પહેલો ઘણે ભેટે છે, કારણ એમાં ઘણી જાતનાં ઝાડે આવે છે. આ ઉપવર્ગના વળી મુખ્ય બે વિભાગ કરવામાં આવે છે. પહેલું વિભાગ જે ઝાડનાં ફૂલની પાંખડી એક બીજાથી વિભક્ત એટલે જુદી જુદી હોય છે તે. જેમ નાગધંતુરા તથા ખસખસનાં કૂલમાં. બીજે જે ઝાડનાં ફૂલની પાંખડી અવિભક્ત યાને એક બીજા સાથે સંધાયેલી હોય છે તે. જેમ કાંકરાનાં ફૂલમાં. એમાંથી પહેલા ભાગના ઝાડોને ઈગ્રેજીમાં પોલીટિયાલી એટલે વિભકત પાંખડીવાળા અને બીજા ભાગને ગ્યાએ પેશ્યાલી એટલે અવિભક્ત પાંખડીવાળાં એમ કહેવામાં આવે છે.
એ બે ભાગનાં ઝાડને વળી ઘણું પેટ ભાગ છે. પણ તે વિશે અહીં માહિતી દેતાં પુસ્તકનો વિસ્તાર થવાને, માટે એ વિશે વધારે માહિતી મેળવવા ઈચ્છનારને વનસ્પતિ શાસ્ત્રનાં પુસ્તક વાંચવા ભલામણ કરવામાં આવે છે.
જે વનસ્પતિને ફૂલ બિલકુલ દેખવામાં આવતાં નથી તેને નિઃપુષ્પ એટલે પિગ્યામીઆ કહે છે. એ જાતનાં ઝાડને વધારે સ્ત્રી પુંકેસરના સંબંધથી યાને સંગથી થતો નથી. એ વર્ગનાં ઝાડને દેખીતાં કુલ હતાં નથી. તે પણ એમાંથી કોઈ કેઈને એક પ્રકારનાં ફૂલ આવે છે અને એનાં બીજથી પણ કિઈ વખતે એને વધારે એટલે એના નવાં ઝાડ થાય છે. પણ સાધારણ રીતે એ જાતની વનસ્પતિને વધારે એના પડખામાં ફણા ફુટે છે, તે જુદાં કરીને વાવ્યાથી થાય છે. ફર્નશ, મૈંશ, શેવાળ એ, એ વર્ગ માંહેલા છે.
For Private and Personal Use Only