________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪ ). પિહેલા પ્રકારની ઉગમણવાળાને થોડાં સારવા જોઈએ છીએ. પણ બીજા પ્રકારના ગુલાબને વધારે સારવાં પડે છે. એ વર્ગની એટલી બધી જાતો છે કે, કઈ જાતનાં ઝાડને કેટલાં સેરવાં તે વિષે લખતાં એક સ્વતંત્ર પુસ્તકજ થવાનું. એ વિષે સાધારણ છેરણ એવું રાખવું કે જે પહેલા પ્રકારનાં થોડાં વધવાવાળાં છે, તેને ડાળિયો ઘણી ફુટી હોય તે તે કાપી ઓછી કરવી, અને બાકી રહેલ ડાળિયે અર્ધથી વધારે કાપવી નહીં. બીજે પ્રકારના ગુલાબ જે જેરમાં વધો મોટાં ઝાડ થાય છે, તેની થડ ઉપરની ડાળિયાની છ સાત આંખે રાખી બાકીની કાપી નાખવી. એ વિશે કયા જાતની ચક્કસ કેટલી કાપવી તેની માહિતી અનુભવથી મળશે.
એ વર્ગના ઝાડને સારામાં સારાં ફૂલ તો જોરદાર ડાળિયને છેડે આવે છે. ઘણુંજ મોટાં ફુલ જોઈતાં હોય તે ફૂલની કળી બેઠી હોય તેમાંથી પારવી થોડી રાખવી એટલે બાકી રહેલ કળીનાં ફૂલ ઘણાં મોટાં થશે. એ વર્ગની ઘણીખરી જાતનાં ઝાડોને ઘણું કરીને હમેશ ફૂલ આવ્યા કરે છે, પણ એમાંથી છેડીક જાતનાં ઝાડને કઈ કઈ વખતેજ ફૂલ આવે છે, પણ જ્યારે એવા ગુલાબને ફૂલ આવે છે ત્યારે તે મોટાં, ઘણું ચળકતા રંગનાં અને ઘણું સુંદર હોય છે, એ વર્ગ માહેલા મુખ્ય મુખ્ય જાતના ગુલાબની યાદી આગળ આપવામાં આવી છે,
For Private and Personal Use Only