________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૭૯ ) અને બીજા બગીચાના શેખી ગૃહસ્થ તેમના હુન્નર અને ઉ.
ગથી તેમાં વધારેજ કરતા જાય છે. એવી રીતે નવા કરેલ ગુલાબથીજ ત્યાંના “નરશરીમેન” ને દર વર્ષે હજારો રૂપિયાની કમાણી થાય છે. યુરોપમાં નરશરીમેનને ધંધે આબરૂવાળે ગણાય છે અને એ ધંધે ઘણું ફાયદાકારક છે.
નવી જાતના ગુલાબ કરવાની રીત એવી છે કે, એક જાતના ગુલાબના ફૂલનું પુંકેસર લઈ તે બીજી જાતના ગુલાબના સ્ત્રીકેશરને લગાડવું અને એ પ્રમાણે બન્ને કેસરનો સંયોગ કર્યાથી જે બીજ પેદા થાય છે, તે બીજમાંથી ઉગેલ નવાં ઝાડનાં ફૂલ ઉપર જણાવેલાં મૂળ ઝાડ, જેના કેસોને સંયોગથી એ નવું ઝાડ બન્યું હોય તેમનાં ફૂલ કરતાં ભિન્ન આવશે. એ પ્રમાણે નવી જોતનાં ઝાડે કરવાની ક્રિયાને અંગ્રેજીમાં “બ્રીડાઈઝીંગ ” કહે છે.
એ હૈબ્રીડાઈઝીંગનું કામ આ દેશમાં યુરોપ કરતાં વધારે સેહેલાઈથી થઈ શકે. કારણ ત્યાં બીજ પાકવાને જોઈએ તેવો સૂર્યને તાપ હમેશ હતો નથી; આપણું દેશમાં તે ઘણું કરીને હમેશ હોય છે. માટે બગીચાના શોખીઓનું એ કામ ઉપર ધ્યાન ખેંચવામાં આવે છે. એ કામ ઘણું સહેલું છે, માત્ર ધીરજ રાખી કરવાનું છે.
ઉપર જણાવ્યા મુજબ એક ફૂલનાં પંકેશરને બીજ ઝાડના સ્ત્રીકેશર સાથે સંયોગ કર્યા બાદ એવી રીતે હૈબ્રીડાઈઝ કરેલ ફૂલને પંખી ઉપદ્રવ કરે નહીં, તે માટે તેના ઉપર સાવ પાતળી મલમલની પિચી ઘેલી કરી બાંધવી. એ ફૂલના દડા ઝાડ માથે સાવ પાકવા દેવા. એ દડાને રંગ બહારથી કાળો થવા લાગે એટલે એની અંદરનાં બીજ પાક્યાં એમ સમજવું, અને એ દોડા ઝાડ
For Private and Personal Use Only