________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૧૦ )
હશે, તે રાખી બીજા બધા કાપી નાખવા. એ રાખેલ વેલાની બે શાખાને વધારે ડિગાળી આવી હશે, તે કાપી નાખી પારવવી, અને એ વેલાનાં મૂળને ફરતી બે ફુટને છે. અર કરી તે બહારનાં મૂળ કાપી નાખવાં. અને એ વેલાને પુછેટનું અગર તે માટે તૈયાર કરેલું બીજું ખાતર દેવું અને એ વેલાને પાણી ચોથે પાંચને દિવસે દેવું. ફળ બેઠા પછી દરરોજ ભરપૂર પાણી અને આઠમે દિવસે છાણને રેડ દેવું જોઈએ. ફાલ લીધા પછી પાણી બંધ કરવું. તે વળતે વર્ષે અકબર માસમાં એ વેલાનાં મૂળ ઉઘાડી તેને ખાતર દીધા પછી ઉપર જણાવ્યા પ્રમાણે પાછું સરૂ કરવું.
એ મુખ્ય બે શાખામાંથી એકની તમામ ડિગાળી ઉનાળામાં ફાલ લીધા પછી સોરી નાખવી, અને બીજી ઉપરની ડિગાળી વળતા વર્ષમાં ફાલ લેવા માટે રાખવી. તેને ફાલ આવી ગયા પછી તે બીજી શાખાની ડિગાળી શેરી નાખવી. એ રીતે દરેક વેલાની મુખ્ય બે શાખા રાખી તેમાંથી એક વારા ફરતી દરવર્ષ સેરવી અને એકને ફાલ માટે રાખવી.
અંગુરના વેલાના થડ ઉપર જાડી પિચી છાલ હોય ત્યારે તે સેરતી વખતે કાઢી નાખવી કે તેની અંદર છવાત થઈ તે વેલાને નુકસાન કરે નહીં.
અંગુરના વેલા ઉપર એક જાતને મલો થાય છે તેથી તેને ઘણું નુકસાન પહોંચે છે. એ મલો આવે ત્યારે વેલા જમીન ઉપર એકાદ ઇંચ રાખી તમામ કાપી નાખી એ બાળી નાખવા. અને કાપી નાખેલ વેલાના થડ ઉપર ઘાસ નાખી બાળવું અને એ વેલાને તે પછી જ પાણી દેવું એટલે થોડી મુદતમાં એ
For Private and Personal Use Only