________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭ ). વચ્ચે સળી હોય છે. તેના સાવરણે થાય છે. એના રસને તાડી તથા દારૂ થાય છે. ફળ ઉપર છેતરાં હોય છે તેમાંથી કા નિકળે છે અને તે કિમતી દેરડાં બનાવવાના તથા બીજા ધણું કામમાં આવે છે. એનાં ફળમાં પાણી હોય છે તે પીવાના કામમાં આવે છે. એની કાચલીના હુક્કા તથા બીજી ઘણી વસ્તુ બનાવવામાં આવે છે. પરૂં ખાધાના કામમાં આવે છે તથા તેનું તેલ કાઢવામાં આવે છે.
નારિઓળીનાં ફળ તેની જાત પ્રમાણે જુદા જુદા કદનાં હેય છે, તેમજ એના આકાર પણ ભિન્ન ભિન્ન હોય છે. કેટલાંએક સાવ ગોળ હોય છે, કેટલાએક લાંબાં હોય છે, કેટલાંએક બે છેડે અણીવાળાં હોય છે અને કેટલાંએક એક છેડે બેઠાં અને બીજે છેડે અણીવાળાં હોય છે. કેટલીએક જાતનાં ફળમાં પાણું ઘણું મીઠું હોય છે અને કેટલીએક જાતમાં રવાદ વગરનું હોય છે. કેટલાએકનું ટોપરૂં ઘણું જાડું હોય છે, કેટલાએકનું સાવ પાતળું હોય છે. કેટલાએકનું ટોપરૂં સાકર જેવું ઘણું મીઠું હોય છે અને બીજાનું મીઠાસમાં ઓછું હોય છે.
નારિઓળીની ઘણી જાતો છે તેમાંની મુખ્ય નિચે લખેલી છે. ધળી નારિઓળી–એનાં ફળ અને કવળ ધોળાશપર ભુરા રંગનાં
હોય છે. લીલી નારિઓળી-એનાં ફળ અને કવળ લીલા રંગનાં હોય છે. રાતી નારિઓળી–એનાં ફળને રંગ રાતે હૈય છે. કિરમજી નારિઓળી--એનાં પરાને અને કુતરાંના તંતુને પણ
રંગ ગુલાબી હોય છે અને એનાં કવળ પણ રતાસવાળા રંગનાં હોય છે.
18.
For Private and Personal Use Only