________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩૪ :
અધ્યાત્મઉપદેશ–વિહાર. ददस्व धर्माथितयैव धान् , सदोपदेशान् स्वपरादिसाम्यान् । जगद्धितैषी नवभिश्च कल्पै-ग्रामे कुले वा विहराऽप्रमत्तः॥५॥ હે મુનિ ! તું ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી જ ફરે, ઉપદેશ આપવા એવા, સ્વ-પર સમાનપણું જ ધરે; તું જગતનું સારું ઈચ્છતાં, પ્રમાદ સરવે દૂર હરે, ગામ અગર કુળમાં નવકલ્પી, વિહારે કાયમ કરે. ૫
હે મુનિ ! તું ધર્મ પ્રાપ્ત કરવાના હેતુથી એવા પ્રકારના ધર્માનુસાર ઉપદેશ આપ કે જે સ્વ અને પરની બાબતોમાં સમાનપણું પ્રતિપાદન કરનારા હોય. તું જગતનું સારું ઈચ્છીને પ્રમાદ વગરને થઈને, ગામ અથવા કુળમાં નવક૯પી વિહાર કર.” ૫ ઉપજાતિ.
સ્વાત્મનિરીક્ષણ-પરિણામ. कृताकृतं स्वस्य तपोजपादि, शक्तीरशक्तीः सुकृतेतरे च ।। सदा समीक्षस्व हृदाथ साध्ये, यतस्त्र हेयं त्यज चाव्ययार्थी ॥६॥ તપ જપ સારા નઠારા, કાર્યો કર્યા કે કર્યા નથી, શક્તિ અશક્તિ કેવી તેહમાં, વિચારી જોવું દિલથી તું શિવસુખની ઈચ્છા ધરી, તેહ સાધવા યોગ્ય કરે, અને ત્યાગવા યોગ્ય હોય, તેવા કાર્યથી દૂર ફરે. ૬
તપ જપ વિગેરે તેં કર્યા છે કે કર્યા નથી? સારાં કામ અને નઠારાં કામ કરવામાં શક્તિ અશક્તિ કેટલી છે? તે સર્વ બાબતને હમેશાં તારા હૃદય સાથે વિચાર કર. તું મેક્ષ સુખ મેળવવાની ઈચ્છાવાળે છે તેથી સાધવા યોગ્ય ( બની શકે તેવાં ) કાર્યોમાં યત્ન કરે અને ત્યાગ કરવા યોગ્ય કાર્યોને છોડી દે.” ૬.
ઉપજાતિ. પરપીડાવજન-યોગનિર્મળતા. परस्य पीडापरिवर्जनात्ते, त्रिधा त्रियोग्यप्यमला सदास्तु । साम्यैकलीनं गतदुर्विकल्पं, मनो वचश्चाप्यनघप्रवृत्ति ॥७॥
For Private and Personal Use Only