________________
પ્રકાશિકા શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રન્થમાલા
શ્રુતજ્ઞાન ભવન, ૪૫ - દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫, ફોન : ૦૨૮૮-૨૭૭૦૯૬૩
: ભાગ :
: વીર સં. : || વિક્રમ સં. :: ૨૫૩૭ ૨૦૬૭ |
: સને : ૨૦૧૧
: આવૃત્તિ : || : ગ્રન્થાંકઃ | પહેલી. ૪૪૯
: નકલ : પ૦૦
આભાર દર્શન
અમારી ગ્રન્થમાળા તરફથી શ્રી જૈન કથા સૂચિ પ્રગટ કરતા અત્યંત આનંદ અનુભવીએ છીએ. પંડીતવર્યો તથા સંશોધકો માટે આ પ્રકાશન ઘણું ઉપયોગી બની રહેશે. આ પુસ્તકની શરૂઆત, પુસ્તક તૈયાર કરવાની વિચારણા તથા સંપાદન પ.પૂ. હાલારકેશરી આ. શ્રી વિજય. જિનેન્દ્રસૂ.મ. એ કરેલ. પુસ્તક તૈયાર કરવામાં શરૂઆતમાં ડૉ. શ્રી કનુભાઈ વી.શેઠ અમદાવાદવાળાએ ઘણી મહેનત કરી છે. પુસ્તકનું ટાઈપસેટિંગ શ્રીજી એક્ઝોન-રાજકોટ થયું છે. પ્રુફ રીડીંગ પૂ. મુનિરાજશ્રી નમેન્દ્રવિ.મ. એ કર્યું છે. પૂ.ગુરુ મહારાજ વિ.સં.- ૨૦૧૫માં મ.વ.તિ.-૩૦ના કાળધર્મ પામ્યા બાદ આ કાર્ય અટક્યું. પણ ‘‘પૂ. ગુરુ મહારાજે વર્ષો સુધી મહેનત કરી આ તૈયાર કર્યું છે અને છેક છેલ્લે સુધી બહાર પડે એવી ઈચ્છા હતી માટે આ પુસ્તકતૈયારતો કરવું જ છે.”એવી મક્કમતા શ્રી વર્ધમાનભાઈએ બતાડી અને બધી જવાબદારી ઉપાડી લીધી. પૂ. નૂતન આ.શ્રી વિજય યોગીન્દ્રસૂ.મ.ના આશીર્વાદ મળ્યા અને કાર્ય આગળ વધ્યું. શ્રી વર્ધમાનભાઈનો ઉત્સાહ અને મક્કમતાથી આ કાર્ય થયું છે, તેમને ભાગે ઘણો મોટો જશ જાય છે. એમણે ડીઝાઈન, પ્રૂફરીડીંગ, કમ્પોઝઆદિબધા કાર્યોમાં ધ્યાન આપ્યું છે. સુંદર પ્રિન્ટીંગનું કાર્ય ગેલેક્ષીક્રીએશન રાજકોટવાળા ભરતભાઈએ કર્યું છે. પ્રકાશનનો સંપૂર્ણલાલ શ્રી હાલારી વીશા ઓશવાળ તપગચ્છ ઉપાશ્રય અને ધર્મસ્થાનક ટ્રસ્ટ - દિગ્વિજય પ્લોટ જામનગરેલીધો છે. ઉપરોક્ત સર્વેનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ.
દેવચંદ પદમશી ગુઢકા
વ્યવસ્થાપક શ્રી હર્ષપુષ્પામૃત ગ્રન્થમાલા
લાખાબાવળા તા. ૨૫-૦૨-૨૦૧૧
(B)