________________
પટેલ રતિલાલ હરજીવનદાસ – પટેલ રામચન્દ્ર બબલદાસ
પટેલ રતિલાલ હરજીવનદાર : જીવનચરિત્રો ‘રામાયાગની રન-
પ્રભા' (૧૯૩૨), ‘રામાયણનાં રત્નોની રોનક’, ‘વરાત/પતન” | (૧૯૩૫) તથા ભારતવર્ષની સ્ત્રીઓની સંસ્કૃતિ અને રશિયામાં નવી નીતિ તથા રશિયન સ્ત્રીઓના ભ્રષ્ટાચાર' (૧૯૩૬) ના કર્તા.
પટેલ રમણ : ભારત ચીન '
jન તાકવું ત્રિઅંકી નાટક ‘તાવાંગ મોરચ યાન ભારત કરુ ત્ર' (૧૯૬૩)ના કર્તા.
પટેલ રમણિક : નવલકથાકાર. મુખ્યત્વે ચરોતરની ધરતીમાંથી ઊંગલી
ધરતીની પ્રીત' (૧૯૫૬) ની વાર્તાઓમાં લેખકની સ્વચ્છ દૃષ્ટિને પરિચય મળે છે. “આંધીનાં અંધાણ' (૧૯૫૭)માં નવલકથાની સામગ્રીને યોગ્ય માવજત મળી નથી. સત્યઘટના દ્વારા સૂચિત વસ્તુને વર્ણવતી નવલકથા ‘
રખમાં જલે છે અંગારા' (૧૯૫૯)માં કથનપદ્ધતિનો પ્રયોગ ધ્યાન ખેંચે છે. ‘સાગરના માળે' એમની લોકપ્રિય નવલકથા છે.
નિ.વા. પટેલ રમેશ દુર્લભભાઈ (૨૧-૧૧-૧૯૪૬) : કવિ. જન્મ અડાજણ (જિ. સુરત)માં. ૧૯૭૮ માં બી.એસસી. ૧૯૩૨ માં બી.એડ. ૧૯૭૫માં એમ.ઍડ. હાઈસ્કૂલમાં વિજ્ઞાનશિક્ષક.
એમણ બાલગીતાને સંગ્રહ ‘અડકો દડકો' (૧૯૮૭) તથા વિજ્ઞાનવિષયક લેખોના સંગ્રહ ‘વિજ્ઞાનપ્રકાશ' (૧૯૮૩) અને ‘વિજ્ઞાનવિશપ' (૧૯૮૬) આપ્યા છે.
પટેલ રમણભાઈ અંબાલાલ, ‘આરસી' (૨૬૩ ૧૯૨૯) : નવલકથા- કાર, વાર્તાકાર. જન્મ વતન ખેડા જિલ્લાન: ચિખોદરામાં. અભ્યાસ એમ.એસસી. વલ્લભવિદ્યાનગરની વી. પી. સાયન્સ કોલેજમાં રસાયણવિજ્ઞાનના અધ્યાપક.
ડોલતી નૈયા' (૧૯૫૯), સ્વમાની' (૧૯૬૦), ‘હિમત વિશ્વાસ (૧૯૬૯), કાકા' (૧૯૭૨), ‘રિદ્ધિ સિદ્ધિ' (૧૯૮૧) ઇત્યાદિ સામાજિક નવલકથાઓ અને વિજ્ઞાનકથાઓ એમના નામે છે.
પટેલ રમણભાઈ ધનાભાઈ (૯-૧૧-૧૯૩૮) : પ્રવાસકથાલેખક. જન્મ બાદમાં. એમ.એ., એલએલ.બી. વકીલાતના વ્યવસાય.
એમાણ પ્રવાસકથાઓ ‘કેમ જાયો આ ભારત દેશ' (૧૯૬૩) તથા ચાર પૂણાનું વર્તુળ' (૧૯૭૬) આપી છે.
પટેલ રમેશચંદ્ર કાંતિલાલ, પ્રસૂન' (૧-૧૧-૧૯૪૧) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના કોલવડામાં. અભ્યારા કોલેજના પ્રથમ વર્ષ સુધી. વ્યવસાયે રૂના વેપારી.
સાહેલી' (૧૯૬૭), 'મૃગતૃષણા' (૧૯૬૭), ‘મંજરી' (૧૯૬૮) ઇત્યાદિ એમની નવલકથાઓ છે. એમની કેટલીક ટૂંકીવાર્તાઓ પણ પ્રસિદ્ધ થયેલી છે.
પટેલ રમેશભાઈ, “અભિવાપી': વાર્તાસંગ્રહ ‘ાસી ઝંખના | (૧૯૬૧)ના કતાં.
પટેલ રવીન્દ્ર રાવજીભાઈ : જીવનચરિત્ર “રાવજીભાઇ મણભાઇ પટેલ' (૧૯૭૫) ના કર્તા.
પટેલ રમણભાઈ પુરુષોત્તમદાસ (૧૫-૭-૧૯૪૧): વિવેચક, સંપાદક. જન્મ ખેડા જિલ્લાના લાંભવેલમાં. ૧૯૫૯માં એસ.સી. ૧૯૬૩ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫ થી આણંદ આર્ટ્સ કોલેજમાં અધ્યાપન.
‘લોકસાહિત્ય ચર્ચા' (૧૯૮૪) અને ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં હાસ્યનિરૂપણ' (૧૯૮૩) એમના વિવેચનગ્રંથ છે. ‘માધ્યદિની' (૧૯૮૪) એ જરાભાઈ કા. પટેલની કવિતાનું એમણે કરેલું સંપાદન છે.
ચ.ટા. પટેલ રમણભાઈ ફુલાભાઈ, ‘રાંચમન' (૨૧-૧૨-૧૯૩૮): વાર્તાકાર. જન્મ ખેડા જિલ્લાના સારામાં. વતન ચિખાદ. બી.કોમ. વ્યવસાયે વેપારી. ‘લેહીનાં વેપારી' (૧૯૭૮) એમના વાર્તાસંગ્રહ છે. ‘તમને ક્યાંક ' જાયાનું યાદ એમની લઘુનવલ છે. વાર્તાલાચન' (૧૯૮૦) એમના વાર્તાવિષયક વિવેચનસંગ્રહ છે.
પટેલ રસિકચન્દ્ર વી. : ગૃહજીવનના પ્રશ્નાને ચતી સાત વાર્તા
ઓનો સંગ્રહ પૃથ્વીનાં પુપ' (૧૯૪૯)ના કર્તા.
પટેલ રામચન્દ્ર ડાહ્યાભાઈ : ‘લક્ષમીનારાયણ નાટકનાં ગાયના (૧૯૨૨), 'દુર્વાસા શ્રાપ ખેલનાં ગાયના' (૧૯૩૪) અને “દેહનાં દાન નાટકનાં ગાયને તથા ટૂંકસાર' (૧૯૩૫) ના કર્તા.
પટેલ રમણલાલ : જાતીયતાપક મનોવૃત્તિ પર પ્રકાશ ફેંકતી અને
પ્રીતિના મુખ્ય પાત્રની આસપાસ ગૂંથાયેલી નવલકથા 'પ્રીતિ’ (૧૯૭૬) ઉપરાંત માનસદર્શન’, ‘બાલમનાવિકાસ’ જવા અન્ય ગ્રંથાના કર્તા.
કૌ.. પટેલ રમણલાલ છનાલાલ: કાવ્યસંગ્રહ ત્રિમૂર્તિ' (૧૯૬૯) તથા ‘મારાં હાઈકુ(૧૯૭૯ ના કર્તા.
૨.ર.દ.
પટેલ રામચન્દ્ર બબલદાસ, ‘સુકિત’ (૧-૮-૧૯૩૯) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર. જન્મ મહેસાણા જિલ્લાના ઉમતા ગામમાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ઉમતા અને વિસનગરમાં. ચિત્રકળામાં રસ હાઈ સી.એન. વિદ્યાવિહાર, અમદાવાદમાંથી ડી.ટી.સી. ઉમતાની હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક.
‘મારી અનાગશિ ઋતુ' (૧૯૭૭) એમને છાંદસ-અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. ગ્રામપરિવેશમાં પ્રેમ અને પ્રકૃતિનું આલેખન કરતી કવિતા અહીં રાવજી પટેલની સગેત્ર રહીનેય સ્વકીય મુદ્રા
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org