________________
ટયુટ (પૂના)ના આજીવન સભ્ય. વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ તરફથી રામાયણના સંપાદન માટે નિમાયેલી સમિતિના
સભ્ય.
૧૯૪૪ના ગ્રંથસ્થ ગુજરાતી વાઙમયની એમની સમીક્ષા ગુજરાતી સાહિત્ય સભાએ પ્રગટ કરેલી. એમણે લખેલા અનેકવિધ સંસ્કૃત સાહિત્ય વિષયક લેખોનો સંગ્રહ ‘નીરાજના’ (૧૯૭૪) મરણોત્તર પ્રકાશન છે. મુખ્યત્વે સંસ્કૃત સાહિત્ય વિષે૫ આ લખાણોમાં આનંદશંકર, પંડિત સુખલાલજી વગેરેની પ્રણાલિકાનું અનુસંધાન છે. એમાં સંહિતા, બ્રાહ્મણ, ઉપનિષદો, ભગવાન બુદ્ધના ઉપદેશ, જાતકકથાઓ, ભગવદ્ગીતા, ગૃહ કાવ્યો મહાભારત અને રામાયણ, દર્શના, ભાસ, અશ્વઘાષ, કાલિદાસ વગેરે વિશેના લેખો છે. એમની ગદ્યશૈલી સરળ અને સુશ્લિષ્ટ છે. ‘કર્ણભાર’નું રસદર્શન એમની નાટયકલાની મર્મજ્ઞતા પ્રગટ કરે છે. ‘વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિ'માં રામાયણની અનેક વાચનાઓના ઉલ્લેખ કરી, સમીક્ષિત આવૃત્તિમાં કેટલુંક પરંપરાપ્રાપ્ત છેડી દેવું પડે છે એની ચર્ચા કરી છે. ઉપનિષદો અને ભગવદ્ગીતા વિશેના લેખામાં સૌંદર્યસ્થાનો પ્રગટ ી આપતી એમની સૂક્ષ્મ સાહિત્યસૂઝ જોવા મળે છે.
'કાલિદારા : આ સ્ટી’(૧૯૪૩) જેવું એમનું અભ્યાસવિષયક પુસ્તક, ‘ભામિનીવિલાસ’(૧૯૩૫) તેમ જ 'રઘુવંશ' - સર્ગ ૬-૧૦ (૧૯૩૫) જેવાં એમનાં સંપાદનો અંગ્રેજીમાં છે. ‘સુષમા’ (૧૯૫૫) એમના સંસ્કૃત કાવ્યરચનાઓનો સંગ્રહ છે. 'સંસ્કૃતિ' સપ્ટેમ્બર ૧૯૬૯માં પ્રગટ થયેલે કાનનાં વર્ણનવાનો સંસ્કૃત સમગ્યેઠી અનુવાદ અને કાલિદાસની ઉપમાં તેમ જ બાણ વિશેના એમના સંસ્કૃતમાં લખાયેલા લેખા જાણીતા છે.
પ્ર.બ્ર.
ઝાલા પૃથ્વીસિંહ ગગજીભાઈ (૨૪-૧૨-૧૯૩૦) : બાળસાહિત્યકાર, જન્મ દેવગઢબારિયામાં, છ ગુજરાતી સુધીનો અભ્યાસ. ગુજરાત યુનિર્વિસટી કાર્યાલય સાથે સંલગ્ન.
'ગાલ પરી’(૧૯૮૩) એમનું બાળસાહિત્યનું પુસ્તક છે.
ચં.ટા. ઝાલાવાડી ધરતી : વર્તનની લાક્ષણિકતાને બહૂ કરતી પ્રજામ ચવળની ગીતકિત.
ચં.કો.
ઝાહિદ શિનોરવાળા : જો, માછી બરાબાઈ સુખલાલ ઝાંઈવાલા દીનશાહ એફ : બેાધક રસિક વાર્તા 'બહેનની બલિહારી' (૧૯૪૧)ના કર્તા,
નિશે. ઝાંસીવાળા બેજનજી ફરદુનજી : પોતાના જીવનની કેટલીક ઘટનાઓને રસપ્રેરક રૌલીમાં નિરૂપતી પદ્યાત્મક કૃતિ બૃજનની બેક્સી યાને બેજનની મુશીબતનો અહેવાલ' (બી. આ. ૧૯૫૯) -ના કર્તા.
ઉનાવા.
Jain Education Intemational
ઝાલા પૃથ્વીસિંહ ગગજીભાઇ — ઝેરવું
-
ઝેર તો પીધાં છે જાણી જાણી – ખંડ ૧ (૧૯૫૨), "ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫): મનુભાઈ પંચાળી ‘દર્શક’ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રાની વિવિધ ધર્મ પરત્વેની શાળાના સમાન્તર નિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મના આશ્રાય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વાનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવા રચનાત્મક નિર્દેશ આપ્યો છે.
કૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીના પાબાપાની વાડીમાં થતો છે, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રય, ગોપાળભાપાનું અવસાન, શીતળાને કારણે દૃષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર ચ્યુતના ઘડતરમાં રોહિણીની ક્રિયા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે. પ્રથમવિયુદ્ધ યુરોપમાં રાજેલા વિનાશનો ભોગ બોલ ઓના પુનર્વસવાટ માટે મથનાં જયોર્જ કન્ટેમા, ગિની કિશાઈન, વોલ્ટ રેવન્યુ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નોના હેર કાર્બ જેવાં પાત્રોની વચ્ચે વસતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે.
વર્ષો પછી કેશવદાસ તથા ડો.રતનું સ્વદેશગમન, રેવન્યૂના પુત્રાની ભાળવણ માટે અશ્રુતનું ઇઝરાયેલ જવું, બીજા વિશ્વ નિમિત્તે ભારતની ભૂમિ-સરહદે તબીબી રોવા આપતાં અચ્યુત-મીનું પ્રસન્ન-દાન તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમારચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં નવલકથાનું યિતવ્ય, યુદ્ધનાં તાદૃશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવી, ડો. અર્થાત, બર્મી સેનાની ઑગસ તથા જાપાની સેનાપતિ ગામાએ કરેલ ધર્મમીમાંરૂપે નિરૂપાયું છે.
વિશાળ લક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે ડિથિલ ટવા છતાં પ્રતીતિફ્ટ પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્ડ ગી કૃતિની મહત્તા પ્રગટ થાય છે.
૨.ર.દ.
ઝેરવું: એકબીજાને સાગઠાં બનાવીને અને છેતરીને જીવતાં તેમ જ ચાહવાને નામે ઝેર વમતાં પાત્રાની આસપાસ નાટયકસબ બતાવતું મધુ રાયનું એકાંકી.
ચં.ટા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૬૧
For Personal & Private Use Only
www.jainelibrary.org