________________
Jain Education International
કૃત્તિઓ હોય ત્યારે કર્તાઓ એકથી વધારે હોવાની સંભાવના એ છે, કેમ કે એક ગુરુના એકથી વધારે ક્રિષ્ન હોઈ શકે. શિષ્યવાળા અધિકરણમાં કર્તા સાધુ હોવાની સંભાવના વિશેષ છે, છતાં એ કયારેક શ્રાવક પણ હોઈ શકે. ચોક્કસ નિર્દેશ મળ્યો હોય ત્યાં એમને શ્રાવક ગણ્યા છે, અન્યથા સાધુ માન્યા છે.
સમશનર્દેશ
કાંનામની બાજુમાં આવેલા ભૂરિયા દસમાં કર્તા કા સમયમાં થઈ ગયા એનો નિર્દેશ છે. કર્તાના સમયનો નિર્ણય કરવા માટે વિવિધ આધારોને લક્ષમાં લીધા છે. કર્તાનાં જન્મ અને શ્વસનનો પ્રમાણભૂત સમય મળતો હોય તો એનો નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ જયારે એવું કોઈ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ ન થતું હોય ત્યારે કર્તાની કૃતિનો રચનાસમય કે લેખનસમય, કર્તાના ગુરુનો સમય, કર્તાના જીવન વિશે મળતી ચોક્કસ ઐતિહાસિક હકીકતો, કૃતિમાં આવતા ઐતિહાસિક ઉલ્લેખ ઇત્યાદિનો આધાર લઈ કર્તાના જીવનકાળને શકય એટલા નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમ કે કર્તાની એક જ કૃતિનું રચનાવર્ષ મળતું હોય તો ‘ઈ. ૧૫૬૫માં હયાત' એમ નિર્દેશ થયો છે. કર્તાની એકાધિક કૃતિઓનાં રચનાવર્ષ મળતાં હોય તા પહેલા અને અંતિમ વર્ષને લક્ષમાં લઈ ‘ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ’ કે ‘ઈ.૧૬મી સદી મધ્યભાગ’ એ રીતે નિર્દેશ કર્યો છે. કર્તાનો કવનકાળ બે સદીઓમાં વિસ્તરતા હોય ત્યાં ‘ઈ.૧૭મી સદી
ઈ-ઈ. ૧૮મી સદી પૂર્વાધ એ રીતે નિર્દેશ કર્યો છે. જે કર્તાની કૃતિનું માત્ર લેખનચર્યા મળતું હોય તો કર્તા ત્યાં સુધીમાં થઈ ગયા એમ નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે ‘ઈ. ૧૭૩૫ સુધી, પરંતુ જયાં લેખનમાં સેક્સનું અનુમાન કરવામાં આવ્યું હોય ત્યાં કર્તાના સમયને ખૂણિયા કૌંસમાં સૂચવવામાં નથી આવ્યો. કોઈ રીતે કર્તાનો સમય નિશ્ચિત થતો ન હોય તો ત્યાં કર્તાનામની બાજુમાં મૂકેલા ખૂણિયા કોંસને ખાલી રાખ્યો છે. કયારેક કર્તાના સમય વિશે અન્ય સંદર્ભ પરથી માહિતી મળતી હોય, પરંતુ જો એ અધિકૃત ન લાગે તો એનો નિર્દેશ ભૂણિયા કૌંસમાં નથી કર્યો. એ માહિતીનો ઉલ્લેખ માત્ર અધિકરણમાં થયો છે. એક નામવાળા ર્ખાઓની આગળ ઓળખ વગરના કર્તાનું અધિકરણ જરૂર મૂક્યું છે. ત્યારે અધિકરણની
બાજુમાં "ગુણિયો ડાંસ નથી મૂકો,
અધિકમાં ક કે કૃતિનો સમય ઈસવી સનના વર્ષ સૂવાયું છે. સધી અન વર્ષ મેળવવા માટે વિક્રમસંવતમાંથી ૫૬ તથા શકસંવતમાંથી ૭૯ બાદ કર્યા છે. જ્યાં માસ, નિધિ, ચાર મળતાં હોય ત્યાં ઈસવી સનની સાથે વતન વર્ષનો પણ નિર્દેશ કરી માસ, નિધિ, વાર મૂકવાં છે. પરંતુ જે કૃતિના લેખનમાં સોનું અનુમાન થતું હોય ત્યાં વિનથી એનો નિર્દેશ કર્યો છે. જેમ કે “સ. ૧૭મી સદી અનુ.” સનિર્ણયના આધારોની ચર્ચા જરૂર જણાઈ ત્યાં કરી છે.
અધિકરણસામગ્રી
તાંધિના પ્રારંભમાં જે નોંધપાત્ર કાં હોય તો અમને એમના મુખ્ય સાહિત્ય વિશેષથી ઓળખાવ્યા છે. જેમ કે “આખ્યાન, કવિ, ‘શાની કવિ' અન્ય કવિઓને સંપ્રદાય, ગુરુપરંપરા, ગચ્છ ઇત્યાદિની ઓળખાવ્યા છે. જેમ કે “પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ,’ ‘સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ,’ ‘તપગચ્છના જૈન સાધુ' વગેરે. ત્યાર પછી કર્તાનાં ઉપનામ, જન્મસ્થળ, વતન, જ્ઞાતિ, માતાપિતા વગેરે વિશે જે આધારભૂત હકીકતો હોય તે આપી છે. જનશ્રુતિઓનો ઉલ્લેખ મોટા સર્જકો વિદ્યું પાયેલી માહિતીમાં ખપપૂરનો કર્યો છે અને ત્યાં એ જનશ્રુતિ છે. એવ નિર્દેશ કર્યા છે.
કર્તાના સર્જનકાર્યની વાત કરતી વખતે પહેલાં કર્તાની પ્રમાણિત કૃતિઓની વાત થઈ છે. સામાન્ય રીતે કૃતિઓને વિષય અને સ્વરૂપના જૂથમાં વહેંચી આ વાત થઈ છે. કૃતિનાં વૈકલ્પિક નામ તિર્યક રેખાથી સૂચવ્યાં છે. મોટા કર્તાઓમાં એમની દરેક નોંધપાત્ર કૃતિનો ઉલ્લેખ કર્યો છે અને ગૌણ કર્તાઓમાં સામાન્ય રીતે એમની બધી કૃતિઓના ઉલ્લેખ કર્યા છે. કૃતિપરિચયમાં કૃતિનાં કડીસાંખ્યા, સ્વરૂપ, વિષય તથા કૃતિની ખાસ કોઈ નોંધપાત્ર લાણિકતા હોય તો એની માહિતી આપી છે. જે કૃતિનું સ્વતંત્ર અધિકરણ થયું હોય તે કૃતિઓની મુખ્ય વીગતોને કર્તાઅધિકરણમાં સમાવી છે અને એ કૃતિ પર સ્વતંત્ર અધિકરણ થયું છે એવો કૃતિનામની બાજુમાં
११
For Personal & Private Use Only
www.jainelibrary.org