SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] જીના હૈયામાં રેખાય છે તે ચાર મૂળ સ્વરૂપ રસ-એટલે ચબુતરારૂપે આગમ-વટવૃક્ષને ફરતે બતાવવામાં આવ્યું છે. તેમાં પણ આગળના ભાગે ઓટલા ઉપર ચઢવા માટે પગથીયાં તરીકે નંદીસૂત્ર અને અનુયેાગ દ્વાર બતાવેલ છે, તે એટલા માટે કે કઈ પણ આગમના વ્યવસ્થિત જ્ઞાન માટે મંગલાચરણ તરીકે શ્રી નંદીસૂત્રનું અધ્યયન અને વ્યાખ્યાની પદ્ધતિઓની વિશિષ્ટ શેલીને સમજવા શ્રી અનુગ-દ્વાર સૂત્રનું પ્રાથમિક અધ્યયન અત્યંત જરૂરી છે. વળી ચબુતરામાં છે. તરીકે ચાર મૂલસૂત્રો તેમ જ તેના પેટા ભેદરૂપ અવાન્તર સૂત્રો દર્શાવ્યાં છે. તથા ચબુતરાની વચલી પટ્ટીમાં મૂલસૂત્રોની લાક્ષણિક વ્યાખ્યા દર્શાવી છે, કે “શ્રીતીર્થંકર પરમાત્માઓએ સ્થાપેલ શાસનની આદિ અને અંત જે સૂત્રોની હયાતી સાથે સંકળાયેલ છે તે મૂલસૂત્ર” ચબૂતરા પર મધ્ય ભાગે વર્તમાન આગમને અર્થથી પ્રરૂપતા શ્રી ચરમતીર્થકર શાસનનાયક શ્રી મહાવીર પરમાત્મા અષ્ટપ્રાતિહાર્ય સમેત ભાવતીર્થંકરની મુદ્રાએ દર્શાવ્યા છે, તેઓશ્રીની જમણી બાજુ અગ્યાર ગણધરેમાં મુખ્ય અનંતલબ્લિનિધાન આદ્યગણધર શ્રીગૌતમસ્વામીજી અભયમુદ્રાએ તથા ડાબી બાજુ વર્તમાન શ્રમણ સમુદાયના નાયક પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી પ્રવચન મુદ્રાએ દર્શાવ્યા છે. આ સિવાય ચબૂતરાની બંને બાજુ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ શ્રીસંઘ પ્રભુની જગહિતકારિણી ભાવાત્સલ્યપૂર્ણ દેશના અને વાણીને લાભની જિજ્ઞાસાવાળી મુદ્રાએ દર્શાવેલ છે. " તેમાં પણ ડાબી બાજુ સાધુઓની પ્રથમ હરોળમાં બાકીના નવ ગણધરે વિશિષ્ટ તેજેવલયથી જુદા તરી આવતા દર્શાવ્યા છે, તેમની પાછળ સાધુઓ અને શ્રાવકને વિપુલ સમૂહ દર્શાવ્યું છે આ રીતે જમણી બાજુ વિશિષ્ટ તેવલયથી જુદા તરી આવતા શ્રીચંદનબાલાજી આદિ સાધ્વીઓ અને તેમની પાછળ વિપુલ શ્રાવિકાઓ બતાવી છે. વળી ચબૂતરાની પાછળના ભાગે ઉગતા સૂર્યના પ્રકાશરૂપે શ્રીકેવલજ્ઞાનની પ્રભા બતાવેલ છે, તે એમ સૂચવે છે કે-કેવલજ્ઞાનની નિર્મળતાના પાયા ઉપર જ વીતરાગની વાણીની જગહિતકરતા નિર્ભર છે. આટલી વાત આગમવટવૃક્ષની સર્વહિતકરતાને સાબીત કરનારી પ્રાથમિક રૂપે જાણવી. હવે વટવૃક્ષના થડ તરીકે શ્રી તીર્થકર દેવ પાસેથી ત્રણ નિષદ્યાપૂર્વક પૂ ગણધર ભગવંતેએ મેળવેલ ત્રિપદી દર્શાવી છે. તેની ઉપરના ભાગે ડાબે મટી શાખામાં શ્રીઆચારાંગ, શ્રીસૂત્રકૃતાંગ શ્રીસ્થાનાંગ, શ્રી સમવાયાંગ અને શ્રીજ્ઞાતાધર્મકથા એમ પાંચ સૂત્રે ઉપર-નીચે વારાફરતી મોટા પાંદડાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016075
Book TitleAlpaparichit Siddhantik Shabdakosha Part 2
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1964
Total Pages248
LanguagePrakrit, Sanskrit
ClassificationDictionary, Dictionary, & agam_dictionary
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy