________________
४८
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પાવા(પાપા) ભંગી દેશની રાજધાની. તે પારસનાથ ટેકરીઓની બાજુના પ્રદેશમાં હોવું જોઈએ. ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી પૃ.૧૨૩.
૨. શ્રભમ.પૃ.૩૭૫. ૨. પાવા મહાવીર આ સ્થળે નિર્વાણ પામ્યા હતા. મહાપઉમ(૧૦) પણ આ સ્થળે મોક્ષ પામશે, આ સ્થળ પાવામmઝિમાથી જુદું ગણાય છે. પાલિ સાહિત્યમાં ઉલ્લેખ છે કે નિર્ઝન્ય જ્ઞાતૃપુત્ર (અર્થાત્ મહાવીર) જે સ્થળે નિર્વાણ પામ્યા તે મલ્લોનું નગર હતું અને તે કસિનારા પાસે આવેલું હતું. તેની એકતા કુસિનગર પાસે આવેલ પદ્રઓન (Padraona) સાથે અથવા જે મલ્લોની રાજધાની હતી તે સેવાન (Sewan) નજીક આવેલા પપ્પૌર (Pappaur) સાથે સ્થાપવામાં આવી છે.' કેટલાક તેની એકતા કસિનારાથી દક્ષિણપૂર્વમાં દસ માઈલના અંતરે આવેલ સઠિયાન્વ ડીહ(Sathiyānva Djha) સાથે સ્થાપે છે. ૧. આવનિ.૩૦૭, વિશેષા.૧૧૦૨, | આ ગ્રંથો પાવાની એકતા વર્તમાન પાવાપુરી તીર્થો. પપપ.
(દક્ષિણ બિહાર) સાથે સ્થાપે છે. ૨. તીર્થો.૧૧૦૬.
૫. “વૈશાલી, વિજયેન્દ્ર સૂરિકૃત બીજી આવૃત્તિ, ૩. ડિપા.પૃ.૧૯૩-૧૯૪.
પૃ.૮૫-૮૭. ૪. જિઓડિ.પૃ. ૧૫૫, શ્રભમ.પૃ.૩૭૫. | પાવામઝિમા જે શહેરનો ઉલ્લેખ મઝિમ (૧), મજૂઝિમાણયરી અને મઝિમા પાવા તરીકે થયેલો છે તે શહેર. કેવલજ્ઞાન થયા પછી મહાવીર આ નગરમાં આવ્યા હતા અને આ નગરના મહાસેણવણ ઉદ્યાનમાં રહ્યા હતા. તે વખતે બ્રાહ્મણ સોમિલ(૨) મોટો યજ્ઞ કરતો હતો. મહાવીરનું બીજું સમોસરણ (સમવસરણ) અહીં ભરાયું. અહીં તેમણે મહાન ઉપદેશપ્રવચન આપ્યું તેથી તે ધમ્મવરચક્રવટ્ટિ (ધર્મવરચક્રવર્તિનુ)ની પ્રતિષ્ઠા પામ્યા. તેમણે અહીં ઇંદભૂઇ અને બીજા દસ બ્રાહ્મણોને દીક્ષા આપી અને તેમને ગણધર તરીકે નીમ્યા. મહાપઉમ(૧૦)નું પણ બીજું સમવસરણ અહીં જ ભરાશે. તે પણ અહીં દીક્ષા આપી અગિયાર ગણધરની નિમણુક કરશે. આ સ્થળની એકતા બિહારમાં આવેલા બિહારશરિફથી પૂર્વમાં સાત માઈલના અંતરે રહેલા વર્તમાન પાવાપુરી સાથે સ્થાપવામાં આવી છે. કલ્પસૂત્ર જણાવે છે કે આ સ્થળે રાજા હર્થીિવાલની રજુગસભામાં મહાવીરે પોતાનો છેલ્લો વર્ષાવાસ પસાર કર્યો અને આ સ્થળે જ તેમનું નિર્વાણ થયું. પરંતુ તિત્વોગાલી અનુસાર પાવા અને પાવા મજૂઝિમાં બે જુદાં સ્થળો છે. કલ્પસૂત્રચૂર્ણિ કહે છે કે મહાવીર આ સ્થળે મૃત્યુ પામ્યા હોઈ દેવોએ આ સ્થળનું નામ પાવા પાડ્યું. ઉત્તરકાલીન ટીકાકારો આપણને જણાવે છે કે પહેલાં આ સ્થળનું નામ અપાપા હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org