________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૧૫
દાહિણઢભરહફૂડ (દક્ષિણાર્ધભરતકૂટ) ભરહ(૨) ક્ષેત્રમાં વેયઢ(૨) પર્વતના દક્ષિણ ભાગનું શિખર. દાહિણãભરહના અધિષ્ઠાતા દેવનું તે વાસસ્થાન છે.
૧. જમ્મૂ.૧૨.
૨. એજન.૧૪.
દાહિણ,ભરહદેવ (દક્ષિણાર્ધભરતદેવ) ભરહ(૨) ક્ષેત્રના દક્ષિણના અડધા ભાગનો અધિષ્ઠાતા દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. તેનો વાસ દાહિણઢભરહકૂડ ઉપર છે. હજારો દેવો અને દેવીઓનો તે ઇન્દ્ર છે. તેની રાજધાની દાહિણઢા છે.
૧. જમ્મૂ.૧૪.
૧
દાહિણઢમણુસ્સખેત્ત (દક્ષિણાર્ધમનુષ્યક્ષેત્ર) મણુસ્સખેત્તનો દક્ષિણનો અડધો ભાગ. તેમાં છાસઠ ચન્દ્ર અને છાસઠ સૂર્ય છે, હતા અને હશે.
૧. સમ.૬૬.
દાહિણઢા (દક્ષિણાર્ધ) દાહિણãભરહ(૨)ના અધિષ્ઠાતા દેવનું પાટનગર.૧
૧. જમ્મૂ.૧૪.
દાહિણદ્ધભરત (દક્ષિણાર્ધભરહ) જુઓ દાહિણઢભરહ.
૧. જમ્મૂ.૧૧, ૭૪.
દાહિણભરહડ્ઢ (દક્ષિણભરતાર્ધ) જુઓ દાહિણઢભરહ.1
૧. સમ.૯૮.
દાહિણમાહણકુંડપુરસંનિવેસ (દક્ષિણબ્રાહ્મણકુણ્ડપુરસન્નિવેશ) માહણકુંડપુરનું દક્ષિણ તરફ આવેલું ઉપનગર.૧
૧. આયા.૨.૧૭૬.
દાહિણવાયાલ (દક્ષિણવાચાલ) મહાવીરે જેની મુલાકાત લીધેલી તે સ્થાન. જુઓ
વાચાલ.
૧. વિશેષા. ૧૯૬૧, આવચૂ.૧.પૃ.૨૭૭.
દિઢિવાય (દૃષ્ટિવાદ) અગિયાર અંગ(૩) અને પઇણગ સિવાયનો આગમગ્રન્થ. તે બારમું અર્થાત્ છેલ્લું અંગ(૩) છે. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે. તે દ્રવ્યાનુયોગનો એક ભાગ હતો.૪ દૃષ્ટિવાદ ગ્રન્થ પાંચ વિભાગોમાં વિભક્ત હતો - (૧) પરિકમ્મ,(૨) સુત્ત(૨), (૩) પુળ્વગય, (૪) અણુઓગ અને (૫) ચૂલિયા. આ પાંચ પણ પેટાવિભાગોમાં વિભક્ત હતા.૫ જે શ્રમણે શ્રમણજીવનના ઓગણીસ વર્ષ પૂરા કર્યાં હોય તે શ્રમણને જ દિઢિવાય ભણાવવાની રજા હતી, અર્થાત્ તે જ તેને ભણવાનો અધિકારી હતો. દિઢિવાયને ગ્રહણ કરવા સોળ વર્ષ જરૂરી હતા અને પુનરાવર્તન માટે બાર.° ભદ્દબાહુ(૧)ના સમયમાં બાર વર્ષ લાંબો દુકાળ પડ્યો.
૬
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org