SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તથા કમર નીચેનો ભાગ નિર્બળ દેખાય છે. આ યુગનાં શિલ્પોમાં રેતીના પથ્થરનું મસ્તક, શીસ્ટનું અણુઓળખાયેલું શિલ્પ તથા નાગછત્રવાળી માતાની પ્રતિમા, અરજણબારી બહારની ઉત્તર બાજુની ભીંતપરની પિટ્ટિકા, હળધર, વરાહ, સપ્તમાતૃકા, ગણપતિ, કાર્તિકેય અને શીતળા માતાનાં મંદિરની છતનાં શિલ્પો તથા શર્મિષ્ઠા તળાવની પાળોમાં જડેલાં કેટલાંક શિલ્પો છે. ખીજા વિભાગનાં શિલ્પોનું વિધાન પહેલા યુગનાં શિલ્પો જેટલું સુંદર નથી. આ યુગમાં આભૂષણોનું પ્રમાણ વધુ છે. માનવશરીરનાં આલેખનમાં ધડ પગના પ્રમાણમાં કંઈક ટૂંકું અને પગ પાતળા તથા લાંબા હોય છે અને શરીરનો વળાંક પણ કેટલીક વાર અકુદરતી લાગે એવો હોય છે. આ યુગનાં ઘણાં શિલ્પો એકસરખાં, વિવિધ વ્યક્તિત્વ સિવાયનાં હોય છે. પરંતુ આ શિલ્પોમાં ખાસ કરીને નરથરમાં વિષયોની વિવિધતા ખૂબ આકર્ષક છે. આ યુગમાં મોટાં શિલ્પો એકધારાં, ખૂબ આભૂષણોથી સજ્જ અને જથ્થાબંધ ઉત્પન્ન કરવામાં આવતાં હોય એમ લાગે છે. આ યુગની શરૂઆતનાં શિલ્પોમાં આગલા યુગના ઉત્તરકાળની ખૂબ અસર છે પરંતુ પાલા ભાગમાં આ યુગનાં શિલ્પોનાં ઘણાંખરાં લાક્ષણિક તત્ત્વો દેખા દે છે, અને તેમાં નાની નાની વિગતોને વધુ વિકસાવવામાં આવે છે. આ વિભાગની નકશામાં પણ વિવિધતા છે. આ વિભાગનાં શિલ્પો વડનગરનાં તોરણો (નરસિંહ મહેતાની ચોરી), કિલ્લાની ભીંતો, ધાસકોલ દરવાજા બહાર તથા ગામમાં ઘણી જગ્યાએ રખડતા નજર પડે છે. ત્રીજા વિભાગનાં શિલ્પોમાં બીજા યુગની લાક્ષણિકતા ચાલી આવે છે, પરંતુ આ યુગનાં શિલ્પો વધુ નિર્જીવ અને ભાવિનાનાં લાગે છે. આ યુગની કોતરણી કંઈક નબળી છે અને એમાં આગલા યુગનું વિષયવૈવિધ્ય નથી. આ યુગમાં પુરાણો અને મહાભારત–રામાયણનાં પાત્રો, અવતારો વગેરેનાં શિલ્પનું મોટું પ્રમાણ જોવામાં આવે છે. નર્તકીઓ, વ્યાઘ્રો અને નકશીકામમાં ગત યુગની અસર અહીં સ્પષ્ટ રીતે દેખાય છે. અને આ વિષયમાં ગતયુગના નમૂનાઓની નકલ થઈ હોય એમ લાગે છે. મંદિરનાં સુશોભનાર્થ વપરાયેલાં આ શિલ્પોની સમગ્ર અસર એકંદર સારી થાય છે પરંતુ વ્યક્તિગત શિલ્પ ગતયુગોની સરખામણીમાં નિર્બળ છે. આ યુગનાં કેટલાંક શિલ્પોમાં મુસલમાન કાળનાં વસ્ત્રો દેખા દે છે જ્યારે બીજા શિલ્પો ગતયુગનાં વસ્ત્રો દર્શાવે છે. આ વિભાગનાં શિલ્પો ખાસ કરીને હાટકેશ્વર અને ખીજાં પાછળથી બંધાયેલાં મંદિરો જોવામાં આવે છે. વડનગરનાં શિલ્પોનો અભ્યાસ કરતાં લાગે છે કે ગુજરાતની શિલ્પકળા તેના સમગ્ર ઐતિહાસિક યુગમાં સુવિકસિત હતી. શિલ્પ જે તે યુગની કળાશૈલીને અનુસરતાં હતાં. પહેલા વિભાગનાં શિલ્પો સામાન્યતઃ ગુજરાત અને તેની આજુબાજુના પ્રદેશના તે કાળનાં શિલ્પો સાથે ધણું સામ્ય ધરાવે છે. ખાસ કરીને અરજણભારી પાસેની શિલ્પપટ્ટિકાનાં શિલ્પો વડોદરા પાસેથી અકોટામાંથી મળેલાં જૈન તાપ્રશિલ્પો સાથે સામ્ય ધરાવે છે. આ નિકટવર્તી સામ્ય ચાલુક્ય સમય પહેલાં ગુજરાતમાં એક સમાન કલાપ્રવાહ હતો. તેની સાક્ષી આપે છે. આ કલાપ્રવાહ ગુપ્તોના જમાનામાં દૃઢ થયો અને આ પ્રદેશમાં વિસ્તર્યાં. આા વિભાગનાં શિલ્પો ચાલુક્ય સમયનાં જૈન અને જૈનેતર શિલ્પની જ શૈલીનાં છે. ત્રીજા વિભાગનાં શિલ્પો પણ ગુજરાતની મધ્યોત્તર શિલ્પકળાની સમૃદ્ધિનાં સૂચક છે. આ યુગમાં ગુજરાતમાં કળા સુદર જીવંત રાખવામાં જૈનોનો ધણો મોટો ફાળો હતો. મુસલમાનોના હુમલા, તેમજ રાજ્યપરિવર્તનની અશાંતિના કહેણુ કાળમાં જીવતી આ કલા ગતયુગોની પ્રફુલ્લતાને બદલે કંઈક હતાશા સાથે ઇહુલોકના આનંદને બદલે પારલૌકિક સુખની વાંછના કરતી હોય એમ લાગે છે. આ યુગનો કલાકાર સારો અભ્યાસી હોઈ તત્કાલીન સમાજનાં વસ્ત્રો-પહેરવેશને પોતાની કળામાં વણી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy