________________
જૈન સાધુસ મેલન અને પંચાંગી આધારેપ્રશ્નના નિર્ણય (!)*
पुरिसा सच्चमेव समभिजारगाहि, सच्चस्स आरणाए उवट्ठिए से मेहावी मार तरइ ।
--પ્રયાગ ||
<<
‘ ભાવિ જૈન સાધુસંમેલનમાં અત્યારના ચર્ચાસ્પદ પ્રશ્નને નિર્ણય કેમ લાવવા ?' એ માટે જે અનેક વાતા ઉચ્ચારાઈ રહી છે, તેમાંની એક વાત ખાસ કરીને સૌનું ધ્યાન ખેંચી રહી છે. એ વાત બીજી કાંઈ જ નહિ કિન્તુ પોંચાંગી આધારે જ દરેક પ્રશ્નના નિર્ણય લાવવા,” એ છે. એટલે આજે આપણે એ વિચારવું આવશ્યક છે કે, પંચાંગી એટલે શું? ‘પંચાંગી ' શબ્દ કયારથી રૂઢ થયા છે ? પ્રાચીન કાળમાં પોંચાંગી હતી કે નહિ ? હતી તે તે કઈ ? અત્યારે પંચાંગી કોને કહેવામાં આવે છે? પચાંગીમાં કઈ બાબતેાને સમાવેશ થાય છે? પંચાંગીને અત્યારના સાધુજીવન સાથે શે અને કેટલા અન્વય અથવા સંબંધ છે ? એના આધારે નિણૅય એટલે શુ' ? અને કયા પ્રશ્નોને નિર્ણય? ઉપરોક્ત પ્રશ્નોની ચર્ચા કરવા અગાઉ આપણે · આગમ એટલે શુ' અને શાસ્ત્ર એટલે શું ? એ બાબત વિચારી લઈ એ, કારણ કે આજે આ બન્નેના વાસ્તવિક સ્વરૂપને ન સમજવાને લીધે આગમિક તેમ જ શાસ્ત્રીય ભાખતા નિર્ણય લાવતાં પંચાંગીને નામે ધણા જ ગૂંચવાડા ઊભા કરવામાં આવે છે. અને તેથી લેાકેા ઘણા જ ગૂંચવાડામાં પડે છે. · આગમ ’ અને ‘ શાસ્ત્ર 'તે ભેદ સમજાયા પછી કેમ લાવવા ? ’ એ મા ઘણા જ સુગમ થઈ જાય છે. ધ્યાનમાં લઈ લેવી ઇષ્ટ છે.
પ`ચાંગી દ્વારા કઈ જાતના પ્રશ્નને ઉકેલ એટલે એ દૃષ્ટિએ આ બન્નેની વ્યાખ્યા
આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા—મારી અલ્પમતિ દ્વારા હું આગમ અને શાસ્ત્રની વ્યાખ્યા આ રીતે સમજું છુંઃ—આગમ ત્રિકાળ-અબાધિત હોય છે; શાસ્ત્રમાં તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિના ફેરફાર સાથે મેટા ફેરફારો થઈ જાય છે. અર્થાત્ આગમિક પદાર્થાંનું સ્વરૂપ સદાય એકસરખુ હાઈ આગમે! હંમેશાં એકરૂપમાં કાયમ રહે છે; તેમાં કયારેય પણ પરિવર્તનને અવકાશ નથી હાતા; જ્યારે શાસ્ત્રીય પદાર્થા, જે એક કાળે અતિ મહત્ત્વના હેાય છે, તે જ સમયના
* અમદાવાદમાં વિ. સં. ૧૯૯૦ના ફાગણ વદ ત્રીજને રાજ શરૂ થયેલ જૈન સાધુસ`મેલન અગાઉ લખાયેલા લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org