SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધન [૪૩ આ આર્યાઓનો જે પાના ઉપરથી મેં ઉતારો કર્યો છે, તેમાં આંકડા સળંગ રાખ્યા છે. તેને અર્થ જતાં પૂર્વની બે આય એ એક પ્રકાર અને છેવટની બે આય એ બીજો પ્રકાર હોય તેમ લાગે છે. સામાન્ય રીતે આ આર્યાઓનો અર્થ આપણે આ પ્રમાણે કરી શકીએ– વનનકા –કાજળ જેટલે (?) બાળ-હીરાબોળ અને ભૂમિલતા (?) તથા પારાનો કાંઈક અંશ, (આ બધી વસ્તુઓને) ગરમ પાણીમાં (મેળવી સાત દિવસ અગર તેથી પણ વધારે દિવસો સુધી) ઘૂંટવી. (પછી) વડીઓ કરી (સૂકવવી. સુકાયા બાદ) કૂટવી-ભૂકો કરવો. ૧. (જ્યારે જરૂરત પડે ત્યારે તે ભૂકાને) ગરમ પાણીમાં ખૂબ ઘૂંટવાથી તે (લખવા લાયક) શાહી બને છે. તે શાહીથી લખેલ પાનાંઓને (અક્ષરોને) રાત્રિમાં (પણ) દિવસની માફક વાંચે. ૨.” “કેરા કાજળને કરા માટીના શરાવમાં નાખી જ્યાં સુધી તેની ચીકાશ મુકાય-દૂર થાય, ત્યાં સુધી આંગળીઓ વડે શરાવમાં લાગે તેવી રીતે તેનું મર્દન કરવું-ઘૂંટવું. (આ પ્રમાણે કરવાથી કાજળની ચીકાશ શરાવ ચૂસી લેશે). ૩. (કાજળને અને) લીંબડા કે ખેરના ગુંદરને બિયાજલબિયારસના પાણીમાં મિશ્ર કરી, ભીંજાવી, ખૂબ ઘૂંટવાં; તે ત્યાં સુધી કે તેમાં નાખેલ પાણી લગભગ સુકાઈ જાય. (પછી વડીઓ કરી સૂકવવી આદિ ઉપર પ્રમાણે જાણવું.) ૪.” ત્રીજો પ્રકાર" निर्यासात् पिचुमन्दजाद् द्विगुणितो बोलस्ततः कज्जलं संजातं तिलतैलतो हुतबहे तीव्रातपे मदितम् । पात्रे शूल्वमये तथा शन (?) जल क्षारसैर्भाषितः । सद्भलातकभृङ्गराजरसयुक् संयुक्त सोऽयं मषी ॥१॥" “લીંબડાના “ના ” એટલે કવાથથી અથવા ગુંદરથી બમણો બીજાળ લે. તેનાથી બમણું તલના તેલનું પાડેલું કાજળ લેવું. (આ સર્વને) તાંબાના પાત્રમાં નાખી તેને સખ્ત અગ્નિ ઉપર ચડાવી તેમાં ધીરે ધીરે લાક્ષારસ નાખતા જવું અને તાંબાની ખોળી ચડાવેલ ઘૂંટા વડે ઘૂંટતાં જવું. પછી ગૌમૂત્રમાં ભીંજાવી રાખેલ ભલામાના ગર્ભને ઘૂંટાની નીચે લગાડી શાહીને ઘૂંટવી. તેમાં ભાંગરાને રસ પણ મળે તો નાખવો. એટલે (તાડપત્ર ઉપર લખવા લાયક) મી-શાહી તૈયાર થશે.” ધ્યાનમાં રાખવું કે આમાં લાક્ષારસ પડે છે માટે કાજળને ગૌમૂત્રમાં ભીંજાવવું નહિ. નહિ તો લાક્ષારસ ફાટતાં શાહી નકામી થઈ જાય. બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે દેશમાં તાડપત્રને કોતરીને લખવાનો રિવાજ છે, ત્યાં શાહીના સ્થાનમાં નાળિયેરની ઉપરની કાચલી કે બદામનાં ઉપરનાં છોતરાંને બાળી તેની મેષને તેલમાં મેળવીને ૬. કાજળમાં ગૌમત્ર નાખી તેને આખી રાત ભીંજાવી રાખવું એ પણ કાજળની ચીકાશને નાબૂદ કરવાને એક પ્રકાર છે. ગૌમૂત્ર તેટલું જ નાખવું જેટલાથી તે કાજળ ભીંજાય. શરાવમાં મર્દન કરી કાજળની ચીકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારો છે, કારણ કે આથી વસ્ત્રો, શરીર આદિ બગડવાનો બિલકુલ ભય રહેતો નથી. પણ જે શાહીમાં લાક્ષારસ નાખવો હોય તે આ ગૌમૂત્રનો પ્રયોગ નકામે જાણો, કેમ કે ગૌમૂત્ર ક્ષારરૂપ હોઈ લાક્ષારસને ફાડી નાખે છે. છે. આ લેક તેમ જ તેના ટબાનું–અનુવાદનું જે પાનું મારી પાસે છે, તેમાં શ્લોક અને બ્લેક કરતાં તેને અનુવાદ ઘણો જ અસ્તવ્યસ્ત તેમ જ અસંગત છે; માટે તેને સારભાગ માત્ર જ અહીં આપ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy