SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શાવરની સમૃદ્ધિ પુરાતન અવશે તારા ઐતિહાસિક કાળના સાંસ્કૃતિક ઇતિહાસને પરીક્ષક અને પૂરક એવી સામગ્રી મળી છે. ખાસ કરી લોથલ, રોઝડી, સોમનાથ આદિમાંથી પ્રાગૈતિહાસિક અને આઘ-ઐતિહાસિક કાળની સંસ્કૃતિ વિશે ઘણી ઉપયોગી માહિતી મળી રહેશે. આજ સુધીમાં આપણા ગુજરાતના આંશિક ઈતિહાસ વિશે ફાર્બસ, પં. ભગવાનલાલ ઇંદ્રજી, શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી, શ્રી. રસિકલાલ છો. પરીખ, પ્રે. કોમિસરિટ, શ્રી. રત્નમણિરાવ, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી આદિએ ઘણું જ મહત્ત્વના પ્રયત્ન કર્યા છે. ગુજરાત વિદ્યાસભાએ “પુરાણમાં ગુજરાત” (ભૌગોલિક ખંડ) અને જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' જેવા આકરગ્રન્થ તૈયાર કરાવી આ દિશામાં કેટલીક કીમતી સામગ્રી પૂરી પાડી છે. વળી “વરતુપાલ અને એનું સાહિત્યમંડળ” જેવા કેટલાક મહાનિબંધ દ્વારા પણ કેટલીક અભ્યાસપૂર્ણ સામગ્રી તૈયાર થતી જાય છે. વડોદરાની સ્થળનામસંસદે પણ એક મહત્ત્વનું કાર્ય હાથ ધર્યું છે, તે પણ આપણે ઇતિહાસની પૂર્તિનું મહત્વનું અંગ છે. આમ છતાં ઉપર જણાવેલ સાધનસામગ્રી તેમ જ પ્રસિદ્ધઅપ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓને વિગતે અભ્યાય કરી એમાંથી ગુજરાતના સામાન્યતઃ રાજકીય અને વિશેષતઃ સાંસ્કૃતિક ઇતિહાસની માહિતી તારવવા પૂર્વક ગુજરાતને સળંગ ઈતિહાસ તૈયાર થાય એ આજના ગુજરાત માટે જરૂરનું છે. આપણી ભાષામાં મુકા-સિકકા, શિલ્પકળા, ચિત્રકળા, ભાષાઓ, કવિઓ આદિ વિશેનું સાહિત્ય લગભગ નહિ જેવું છે. ચિત્રકળાના વિષયમાં ભાઈ શ્રી. સારાભાઈ નવાબે આપણું ગુજરાતને મહત્ત્વના ગ્રંથનો સંગ્રહ પૂરો પાડ્યો છે એ આપણે વીસરી જતા નથી. ડૉ. મંજુલાલ મજમુદાર આદિએ પણ આ દિશામાં ઠીક ઠીક પ્રત્યન કર્યો છે. એમ છતાં આ ક્ષેત્રમાં હજુ પણ કામ કરવાને ઘણે અવકાશ છે. આપ સૌને લાગશે કે મારા ભાષણમાં આપણી ગુજરાતી તેમ જ બીજી અલભ્ય કૃતિઓ વિશે કેમ કાંઈ નિર્દેશ નથી કર્યો. આપ સૌને આ વિશે જણાવવાનું કે સગા ભાઈ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના “ગુર્જર કાવ્યસંચય'ના ભાગો પ્રાસદ્ધ થયા પછી એ જ દિશામાં આગળ સંક્રિય પ્રયત્ન કરી બીકાનેરનિવાસી શ્રીયુત અગરચંદ્રજી નાહટાએ શ્રીયુત દેસાઈના સંગ્રહમાં નહિ આવેલી નવીન કૃતિઓના સંગ્રહનો એક મોટો ભાગ તૈયાર કર્યો છે, અને જેને કોઈ પ્રસિદ્ધ કરનાર નહિ મળવાથી એ એમ ને એમ પડયો છે. આપણે આશા રાખીએ કે એ સંગ્રહ વહેલામાં વહેલો પ્રસિદ્ધ થાય. આ ભાગ ઉપરાંત પણ આપણા જ્ઞાનકેશોમાં હજુ પણ અજ્ઞાત શૃંગારમંજરી રાસ, આભાપુરનાકર આદિ જેવી ઢગલાબંધ કૃતિઓ છે, જેને સંગ્રહ થવો આવશ્યક છે. અંતમાં અપ્રાસંગિક છતાં , ગુજરાતી પ્રજા માટે જ નહિ, દરેક વિદ્વાન માટે ઉપયોગી અને મહત્ત્વની હવાથી એક વાત રજૂ કરવી ઉચિત માનું છું કે આપણું આ શહેરમાં શેઠ શ્રી. કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબીજનોના આંતર ઉત્સાહથી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ” નામની સંસ્થા આજથી લગભગ બે વર્ષ પૂર્વે સ્થાપવામાં આવી છે. જેમાં માત્ર ગુજરાત જ નહિ, કિંતુ દેશ-પરદેશના વિદ્વાને આવી સંશોધન અને અધ્યયન કરી શકે તેવી સામગ્રી એકત્ર કરવાનો સંક૯૫ છે. આ સંકલ્પના અનુસંધાનમાં આ વિદ્યામંદિરને આ વ્યાખ્યાતા તેમ જ આચાર્ય શ્રી. વિજયદેવસૂરિજી, પં. શ્રી. કીર્તિમુનિજ, ખેડા જૈન શ્રીસંઘ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ આદિ તરફથી નાના-મોટા કીમતી સંગ્રહો ભેટ મળ્યા છે. તેમ જ એ ઉપરાંત વિદ્યામંદિરની કાર્યવાહક સમિતિની અનુમતિથી અને વિદ્યામંદિરને ખર્ચે લગભગ ત્રણ હજાર નવા કીમતી ગ્રંથે ખરીદ્યા છે, જેમાં કહ૫સૂત્ર, સંગ્રહણી. શ્રીલંકાત્રિ, પુનાસંમવમાશr૫, નરસિંહ મહેતાનું મામેરું, હિતો વિવિલા, ઢોલામારુ, ગીતા, બાદશાહી-ચિત્રાવલી અને વિજ્ઞપ્તિપત્ર આદિ શનિ ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy