SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી ભારતીય આર્યધર્મપ્રણેતા વૈદિક, જૈન અને બૌદ્ધ આચાર્યોએ માનવજીવનને ઉન્નત બનાવવા માટે અનેક રીત-રિવાજો તેમ જ ધાર્મિક પરિપાટીએ ચાલુ કરી છે. તેમાં આપણે તહેવારોનો મુખ્ય હિસ્સો છે. આ તહેવારે અનેક કારણોને લક્ષમાં રાખીને ઊભા કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમને મોટો ભાગ મહાપુરુષોના જીવન-પ્રસંગોથી જ સંકળાયેલો છે. વિધવિધ કારણોને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલ આ બધાય તહેવારને અંતિમ અને મહત્ત્વને ઉદ્દેશ માત્ર એક જ છે કે તે તે તહેવારને દિવસે મનુષ્ય પોતાના જીવનને ઉન્નત બનાવવા માટે જુદી જુદી રીતે વિચારે કેળવે અને તેને જીવનમાં ઉતારવા માટેનું અતરબળ મેળવે. આ હેતુને ધ્યાનમાં રાખીને જ વસતોત્સવ, શરદુત્સવ આદિ જેવા માત્ર બાહ્ય ભોગ અને આનંદપ્રધાન તુને લગતા જે તહેવારો જનસમાજમાં રૂઢ છે. તે તરફ આર્યધર્મવ્યવસ્થાપક આચાર્યોએ ખાસ કશુંય ધ્યાન આપ્યું નથી. જોકે આ તહેવારોમાંથી કેટલાક વખતવિજ્ઞ મનુષ્ય કંઈક ને કંઈક વિશેષતા તારવી શકે, તેમ છતાં સર્વસામાન્ય લક્ષીને ચાલુ કરવામાં આવતી પરિપાટીઓમાં આ જાતની પરિપાટીઓને ભેળસેળ કરવામાં કશો જ લાભ હોતો નથી. આવા તહેવારને તેમણે જતા ક્યાં છે અને જે તહેવાર સર્વ સામાન્યને સીધી રીતે જીવનવિકાસ કરવામાં મદદગાર થાય તેમને જ સ્થાન આપવામાં આવ્યું છે. આજે અહીં જે જૈન તહેવાર વિષે લખવામાં આવે છે, એ સાહિત્યરક્ષણના વિશિષ્ટ ઉદેશથી ચાલુ કરવામાં આવ્યો છે. આ તહેવારને “જ્ઞાનપંચમી” એ નામથી ઓળખવામાં આવે છે. આ તહેવાર કાર્તિક સુદી પાંચમને દિવસે માનવામાં આવે છે. આ દિવસને “જ્ઞાનપંચમી ” થા કારણથી કહેવામાં આવે છે એ આપણે હવે પછી સ્પષ્ટ જાણી શકીશું. પ્રાચીન કાળમાં જેન ભિક્ષઓ જેમ બને તેમ વધારે ને વધારે બાબતમાં અપરિગ્રહવૃત્તિ પસંદ કરતા, તે એટલે સુધી કે જ્ઞાનના સાધનભૂત પુસ્તકે રાખવાં એ પણ તેમને મન ગમતી વાત નહતી. આથી તેઓ પોતાના જીવનમાં ઉપયોગી દરેક પ્રકારની વિદ્યાઓને કંઠસ્થ રાખતા. જે ભિક્ષએ અલ્પસ્મરણશક્તિવાળા અથવા અલ્પબુદ્ધિવાળા હતા, તેમને માટે જૈન ભિક્ષુસંસ્થાએ “દ”. ની વ્યવસ્થા રાખી હતી. સંઘાટક એટલે ભિક્ષુઓનું જોડવું. આ સંધાટકની વ્યવસ્થા એ ઉદેશથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy