SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] જ્ઞાનાંજલિ કેટલાક ગ્રંથની મહત્વની હસ્તપ્રતિએ ઘનિયુક્તિનું બૃહભાષ્ય પણ અહીંના ભંડારમાં વિદ્યમાન છે, જેની અમે કોપી કરાવી લીધી છે. ક૫મહાભાષ્યની અહીં કોપી છે, પણ તે અર્ધાભાગની જ છે. ચૌદમા સૈકામાં ટીકા રચનાર આચાર્ય ક્ષેમકીર્તાિ એ આ મહાભાષ્યની સાક્ષી આદિથી અંત સુધીની આપી છે. છતાં આજે આપણે સામે એની સંપૂર્ણ પ્રતિ ક્યાંય જોવામાં નથી આવી તે આશ્ચર્ય જેવી જ વાત છે. અનુયોગદ્વારની હારિભદ્રીય વૃત્તિની પ્રતિ માત્ર પાટણ–વાડી પાર્શ્વનાથના ભંડારમાં જ છે, તે સિવાય અહીંથી તેની એક પ્રતિ મળી છે. પાટણની પ્રતિ અહીંની પ્રતિના ઉતારારૂપ હોવા સાથે તે પ્રતિને કોઈ વિશિષ્ટ વિદ્વાને સજાવેલી છે. અહીંની પ્રતિ પણ સુધારેલી છે, જેના શોધકે કેટલાક પાઠ બગાડ્યા છે. આ પ્રતિ નજરે જોવાથી એ ભ્રમણાઓને આપણે નિઃશંકપણે સુધારી શક્યા છીએ. અને એમાંથી કેટલીક નવી પંક્તિઓ પણ મળી આવી છે. અનુગદ્વારસૂત્રની મૂળ પ્રતિ પણ મને પાઠભેદની દૃષ્ટિએ મદદગાર થઈ છે. ટીકાકાર આચાર્ય શ્રી હેમચંદ્ર ભલધારીએ જે પાઠભેદ આપ્યા છે, તે પૈકીના કેટલાક પાઠભેદે મને આમાંથી મળ્યા છે. જોકે મેં માલધારી મહારાજે ભેગા કરેલા આદર્શો પૈકી ઘણા મેળવી લીધા છે, તેમ છતાં હજુ પણ અમુક આદર્શ (પ્રત્યંતર) મારા હાથમાં આવવા બાકી છે. એટલે મૂળસૂત્રનું અનુસંધાન એટલું ખંડિત જ રહેશે. સંભવ છે, કઈ નવો આદર્શ ક્યાંયથી મળી આવે. ખંભાતનો ભંડાર તપાસો બાકી છે જ. અહીં આવીને અમે અનુગદ્દારસૂત્ર અને તેની હારિભકી અને માલધારી ટીકાઓ અહીંના પ્રત્યતરો સાથે મેળવી લીધી છે અને પાઠે શુદ્ધ કરી લીધા છે. બૃહતકલ્પ અને તેની ટીકાની પ્રાચીન પ્રતિ મળી તેને પણ અમે મેળવી લીધી છે. આ કામ પંડિત અમૃતે કર્યું છે. અને ભાઈ નગીનદાસે પણ તેમાં ભાગ આપે છે. જ્યોતિષકડક અને સૂર્યપ્રાપ્તિ પણ સુધારી લીધાં છે. જ્યોતિપરંડકમાં ગાથા વગેરે કાગળની પ્રતિઓમાં અસ્તવ્યસ્ત મળી આવે છે, તે અહીંની પ્રતિમાંથી ઠીક મળી આવ્યાં છે; છતાં હજુય ગોટાળો તો છે જ. સૂર્યપ્રાપ્તિ પણ અહીં અતિ પ્રાચીન હોવાને લીધે ઠીક થઈ ચૂકી છે. મૂળસૂત્ર અમે ગુજરાત આવીને પાટણની અને મારા પાસેની તાડપત્રીય પ્રતાને આધારે તૈયાર કરીશું. રસપ્રદ પ્રશસ્તિઓ-પુપિકાએ ભવભાવનાપ્રકરણ-આચાર્ય માલધારીકૃત પ્રજ્ઞા ટીકાની બે પ્રતિઓ અહીં છે. તેને સંશોધન માટે ઉપયોગ કર્યો છે. આ પ્રતિઓના અંતની ગ્રંથકારની પ્રશસ્તિ અને લખાવનારની પ્રશસ્તિઓ ઘણે રસ પેદા કરે તેવી છે. લખાવનારની પ્રશસ્તિઓને આધારે એ જમાનામાં આ ગ્રંથ તરફ લોકોનો કે આદર હતો તે જણાય છે, એ આપણને આનંદ આપે તેવી વસ્તુ છે. આવી પુપિકાઓ અહીં ત્રણ જાતની મળી છે. આ પ્રકરણની ટીકાના આદિ ભાગમાં જે નેમિનાથ ચરિત્ર છે તેની પણ એક જુદા ગ્રંથ તરીકેની નકલ અહીં છે, અને તેના અંતમાં સહેજ ફેરફાર સાથે ભવભવનાપ્રકરણવૃત્તિના અંતમાં આવતી પ્રશસ્તિ જ લખવામાં આવી છે. પ્રતિ તે અરસાની હોઈ એટલે કે સંવત ૧૨૪પમાં લખાયેલી હઈ માલધારી મહારાજે પોતે જ તેમ કર્યું હશે તેમ લાગે છે. અધુરી યાદી અહીંના ભંડારની ઘણી પ્રતો અસ્તવ્યસ્તપ્રાયઃ છે. શ્રીયુત સી. ડી. દલાલના લિસ્ટમાં જે નામો. નોંધાયાં છે તે માત્ર અમુક પાનાં હાથ આવી ગયાં કે અમુક નામ જોઈ લીધું તેટલા ઉપરથી જ થયું છે. આજે ભંડારમાં એવી ઢગલાબંધ પોથીઓ છે, જેમાં એક એક પોથીમાં દસ-દસ અને વીસ-વીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy