SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જે કર્મ સાહિત્ય અને પંથસંગ્રહ [ ૧૪૩ પંચસંગ્રહ ઉપર પણ અને આચાર્ય શ્રી મલયગિરિરિત એમ બે સમર્થ ટીકાઓ મળે છે, જે અનુક્રમે દશ હજાર અને અઢાર હજાર શ્લોક પ્રમાણ છે. આ બન્નેય ટીકાઓ એકીસાથે અતિ વ્યવસ્થિત રૂપમાં મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભોઈ તરફથી પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે. તેમ જ શ્રેષ્ટિવર્ય દેવચંદ લાલભાઈ વગેરે તરફથી આ ટીકાઓ છૂટી છૂટી પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે. આ ઉપરાંત ખંભાતના શાંતિનાથના તાડપત્રીય જૈન જ્ઞાનભંડારમાં વા( રામદેવકૃત ૨૫૦૦ શ્લેક પ્રમાણ દીપક નામની ટીકા હોવાની નોંધ મળે છે, પરંતુ આ ટીકા મારા જેવા માં હજુ સુધી આવી નથી. આ દીપક ગમે તેવો હોય તે છતાં કહેવું જોઈએ કે સ્વોપણ ટીકા અને મલયગિરિકૃત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાઓને અનુસરીને જ એ સંક્ષિપ્ત કૃતિ બની હશે. પંચસંગ્રહકારને સમય પંચસંગ્રહકાર આચાર્ય કયા સમયમાં થયા હશે અથવા તેઓશ્રી કઈ શાખાના હશે ઇત્યાદિ વિષે કશેય સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય જોવામાં આવતો નથી. ફક્ત પ૪ ટકાના અંતની પ્રશસ્તિમાં પોતે પાર્શ્વર્ષિને શિષ્ય છે એટલું જ જણાવ્યું છે. એટલે પંચસંગ્રહકાર ભગવાન શ્રી ચંદ્રર્ષિ શ્રી પાર્શ્વર્ષિના શિષ્ય હતા એથી વિશેષ આપણે એમને વિષે બીજું કશું જ સ્પષ્ટ રૂપમાં જાણી શકતા નથી. તેઓશ્રી મહત્તરપદ વિભૂષિત હતા કે કેમ એ વિષેને ઉલ્લેખ પણ તેમની કૃતિમાં મળતું નથી. સ્વોપા ટીકામાં પોતા માટે “જfsir” વર્ણમાનેન સાધુના એટલે જ ઉલ્લેખ છે; તેમ જ આચાર્ય શ્રી મલયગિરિએ પણ મય જfષની સાધુના એટલે જ ઉલ્લેખ કર્યો છે. આમ હોવાથી પંચસંગ્રહકાર આચાર્ય મહત્તરપદ વિભૂષિત હતા એ માટે બીજા સામાન્ય રીતે ચાલુ ઉલ્લેખને જ આધાર આપણે રાખી શકીએ. આચાર્ય શ્રી ચંદ્રર્ષિના સત્તાસમય વિષે એટલું જ અનુમાન કરી શકાય કે, ગર્ગર્ષિ, સિદ્ધર્ષિ, પાર્ષિ, ચંદ્રર્ષિ આદિ ઋષિ શબ્દાન્ત નામ મોટે ભાગે નવમી-દશમી શતાબ્દીમાં વધારે પ્રચલિત હતાં. એટલે પંચસંગ્રહકાર આચાર્ય શ્રી ચંદ્રર્ષિ મહત્તર નવમા-દશમા સૈકામાં થઈ ગયેલા હોવા જોઈએ. એ જમાનામાં મહત્તરપદ પણ ચાલુ હતું એટલે ચંદ્રર્ષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તા સમય માટે ખાસ કઈ બાધ આવતો નથી. “ઉપમિતિભવપ્રપંચ કથા'ના પ્રણેતા આચાર્ય શ્રી સિદ્ધર્ષિના ગુરુ ગર્ગ ર્ષિના પ્રગુરુ દેલ્લી મહત્તર મહત્તરપદ વિભૂષિત હતા. ચંદ્રષિ મહત્તરની અન્ય કૃતિઓ - ભગવાન શ્રી ચંદ્રર્ષિ મહત્તરકૃત ગ્રંથમાં પંચસંગ્રહ અને તેના ઉપરની પજ્ઞ ટીકા સિવાય તેમની બીજી કઈ કૃતિ હજુ સુધી જોવામાં નથી આવી. સિરિ–સપ્તતિક કર્મગ્રંથ તેમની કૃતિ તરીકે પ્રચલિત છે, પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે, એ મેં શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલ કર્મગ્રંથના બીજા વિભાગની મારી પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે સાબિત કર્યું છે. આ ઉપરાંત સિત્તરિ કર્મગ્રંથ ઉપરની પ્રાકૃત વૃત્તિ-ચૂર્ણિ તેમની કૃતિ હોવાનું માનવામાં આવે છે પરંતુ સિરિ ચૂર્ણિની અર્વાચીન પ્રતિના અંતમાં તેવો કશે ઉલ્લેખ મળતું નથી, અને પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ, - જે મારા જોવામાં બે–ત્રણ આવી, તે અંતમાંથી ખંડિત થઈ ગયેલી હોઈ એ વિષે ચોક્કસપણે કશું જ કહી શકાય તેમ નથી. ૧. અમૂ મૂતfફતો વીરસ્વતી સેલ્સમરઃા નિમિત્તલાસઃ પ્રસિો વિસ્તરે છે. उपमितिभवप्रपंचकथा प्रशस्ति ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy