SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્માભ્યાસ અને ત્યાગભાવના ગુજરાતી સાત ચોપડી અને અંગ્રેજી ત્રણ ચોપડી ભણ્ય, સાહેબ! બહુ સારૂં. ધાર્મિક અભ્યાસ કરવાની ભાવના કયાંથી થઈ? ગુરૂદેવ ! મારા પિતાજીને તો આપ સારી રીતે ઓળખે છે. તેઓ ધર્મિષ્ઠ છે, ને દ્રવ્યાનુગ વિગેરેના અભ્યાસી પણ છે. તેમણે સીંચેલા ઉત્તમ સંસ્કાર-જળને પરિણામે મનેય ધાર્મિક તથા સંસ્કૃત ભણવાની ભાવના થઈ. અને તેમની અનુમતિથી આપ સાહેબની પવિત્ર છાયામાં હું આવ્યો છું. કૃપા કરીને મને અભ્યાસ કરાવે. ભલે ભાઈ!, ગુરૂ મહારાજ નેમચંદભાઈને સંસ્કાર તથા વિનય જોઈને પ્રસન્ન થતાં બોલ્યા. અને જરા ચકાસણી કરવા પૂછ્યું. પણ સંસ્કૃત અને ધાર્મિક ભણીને તું શું કરીશ? એ વિચાર તે હજી નથી કર્યો, કૃપાળુ ! પણ એટલું તો ચોક્કસ છે કે એ ભણવાથી મારું આત્મ-કલ્યાણ થશે, સાથે હું વિદ્વાનું પણ બનીશ. અત્યારે તો આ ધ્યેયથી જ હું” ભણવા ઈચ્છું છું. નેમચંદભાઈએ નિખાલસભાવે જવાબ વાળ્યો. નેમચંદ ! તારી ભાવના ઘણી ઉત્તમ જણાય છે. તારે માટે અહીં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. શેઠ જસરાજભાઈને ત્યાં તારે જમવાનું અને અહીં ઉપાશ્રયમાં રહેવાનું ને ભણવાનું. બેલ ! બરાબર છે ને? આ સાહેબ આપની કૃપા-દષ્ટિ હોય, એટલે બરાબર જ હોય. મારાં તે આજે અહેભાગ્ય જાગ્યા કે આપશ્રીની નિશ્રા મળી. મહુવાથી માતા-પિતાના મંગળ આશીર્વાદ લઈને નીકળેલા આપણું ચરિત્રનાયક શ્રીને ચંદભાઈ ભાવનગર પૂ. ગુરૂમહારાજશ્રી પાસે સકુશલ આવી પહોંચ્યા હતા. અને તેમની જોડે પૂ. ગુરૂદેવે ઉપર પ્રમાણે વાતચીત કરી. પછી તો તેઓ પૂ. ગુરૂદેવની આજ્ઞાનુસાર નિયમિતપણે અભ્યાસ કરવામાં તલ્લીન બની ગયા. સાથે સાથે પૂ. ગુરૂદેવ તેમજ અન્ય મુનિપંગની સેવા-સુશ્રષા પણ વિનયથી કરતા. શેઠ જસરાજભાઈ (અમરચંદ જસરાજ) ને ત્યાં જમવા માટે જવા સિવાય બાકીનો બધો વખત ઉપાશ્રયમાં જ રહેતા. એક દિવસની વાત છે. રાત્રિનો સમય છે. નેમચંદભાઈ સૂતા છે. હજી ઉંઘ આવતી ન હતી એટલે તેઓ વિચારમાં લીન બન્યા. વિચાર કરતાં કરતાં તેમના મનમાં વિચાર આવ્યું કે-“આપણે નિશાળમાં ભણ્યા. હવે અહીં ભણીશું. પછી ઘરે જઈને બંધ કરીશું. બધું જ થશે. પણ પછી શું ? છેવટે તો મરવાનું નક્કી જ છે ને ? જમે એને માટે મરવાનું તે આવશ્યક છે. જે આ સંસારના કાદવમાં ફસાઈને કઈ સારું કાર્ય કર્યા વિના જ મરવાનું હોય, તે આ જીવ્યું શા કામનું ? માટે કેઈ ઉત્તમ કાર્ય કરવું જોઈએ કે જેનાથી આપણું પિતાનું અને બીજાનું પણ કલ્યાણ સધાય.-આપણું જીવન-મરણ સુધરે અને બીજાનાંય સુધરે. એવું કાર્ય કર્યું ? એ માર્ગ કયે ? એ વિચારતાં તેમને લાગ્યું કે “સાધુપણું” એ જ એને માટેન-જીવન અને મરણ બનેને અજવાળવાનો શ્રેષ્ઠ-ઉત્તમ માર્ગ છે. માટે એ માગ આપણે પણ લઈએ-સ્વીકારીએ. બસ ! એટલે વિચાર આવ્યો ને એમના મનમાં સંસારની જંજાળ છેડી, સંયમ ગ્રહી, સ્વ-પરહિત સાધવાનું સર્વોત્તમ કાર્ય કરવાની ગાંઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy