________________
શ્રી નેમિ સૌરભ અહિંસાથી આત્મામાં નેહ પ્રગટે છે. સંયમથી શકિત પ્રગટે છે તપથી આત્મામાં સામર્થ્ય પ્રગટે છે અને આત્મશુદ્ધિ થાય છે.
શાસ્ત્રાકાર મહર્ષિઓએ આ ધર્મને ઉત્કૃષ્ટ કહ્યો છે, મહામંગળકારી કહ્યો છે, સવ કર્મ વિનાશક કહ્યો છે.
સુદેવ અને સુગુરૂની ભકિતમાં જીવ પરોવવાથી આ ધર્મની આરાધના કરવાની રૂચિ પ્રગટે છે. રૂચિ પ્રગટેલી હોય છે, તે વધુ ઢ બનીને પ્રીતિનું રૂપ ધારણ કરે છે; ચેતનના સત્કારનું દિવ્ય વાતાવરણ સમગ્ર ચિત્ત પ્રદેશમાં ફેલાઈ જાય છે.
માટે સદા સદુધર્મની આરાધનામાં ઉદ્યમવંત રહેજે, આરાધેલો ધર્મ નિયમ ફળે છે, માટે તેમાં જરા પણ શંકા ન કરશે, પણ નિઃશંક મને સત્ ધર્મના નિયમે માં-વચનમાં જીવ પરોવો. અધમ કરતા ચેતજે, “કરો તેવું પામે, વાવે તેવું લણે.” એ કુદરતને અટલ નિયમ કદિ ન ભૂલશે.
શાસન સમ્રાટ ગુરુદેવના સ-રસ અને સતત વ્યાખ્યાને સાંભળીને શ્રોતાઓનાં હૃદયમાં સધર્મની ભવ્ય ભાવનાઓએ ઘર કર્યું.
રાજાઓના પણ મહારાજા અને ચક્રવતીઓના પણ સ્વામી શ્રી તીર્થંકર પરમાત્માને ભાવથી પૂજવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org