SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૫૭] ૨૩ તિથિચર્ચા (૨) સમાધાનને નકર છતાં નિષ્ફળ પ્રયાસ સં. ૧૯૦ માં ભરાયેલા મુનિસમેલનનો પ્રધાન હેતુ એ હતો કે સંઘમાં અમુક અશે ફેલાયેલા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવું, અને ભવિષ્યમાં એવું ન થવા પામે તેવી વ્યવસ્થા કરવી. આ હેતુને અમલ સમેલને એક સર્વસંમત પટ્ટકરૂપે અગિયાર નિયમ ઘડીને કર્યો. પણ અફસ, સમેલને ઘડેલા એ નિયમો કાગળ પર જ સચવાયા ! સમેલન પછી એ જ વર્ષમાં વાતાવરણ અનિચ્છનીય બનતું ગયું. એ અનિરછનીય વાતાવરણને કાયમી બનાવનાર તિથિચર્ચાને જન્મ થયો. એને લીધે સમ્મલને ઘડેલા નિયમો પૈકી ત્રીજા નિયમનો અને એના અનુસંધાનમાં નવમાં નિયમન ખુલ્લેઆમ ભંગ થશે. બીજા નિયમોના પાલન તરફ પણ લાપરવાહી સેવાતી થઈ. નવા તિથિમતનું વલણ સંઘની શાંતિમાં ભંગાણ પાડનારું નીવડ્યું. પછીનાં આઠેક વર્ષમાં તે તપાગચ્છ અશાન્તિનું ધામ બની ગયે! અશાતિના આ કલંકને નિવારવા, પહેલાં કહ્યું તેમ, કેટલાક પ્રયાસ થયા, પણ એ નિષ્ફળ બન્યા. પણ એમ છતાં શાતિપ્રિય વ્યક્તિઓએ એ અંગે પ્રયત્નો શરૂ જ રાખ્યા. નવા તિથિમતના વૃદ્ધ પુરુષે પણ આ માટે સક્રિય હતા. પણ એમનાં આંતરિક પરિબળો જ એમના એ પ્રયત્નોને નાકામિયાબ બનાવતાં હતાં. એ પરિબળો છિન્નભિન્નતામાં માનતાં હતાં, સંપમાં નહિ. આથી વૃદ્ધ મહાપુરુષોની સક્રિયતા નિરાશામાં જ પરિણમતી. સં. ૨૦૦૦ના વર્ષે તિથિભેદનો અંત લાવીને અશાંતિ દૂર કરવાનો એક સંગીન, સુંદર પ્રયત્ન થયો. પણ, દર વખતે બનતું એમ, આ પ્રયત્ન પણ નિષ્ફળ જ રહ્યો. વાત આમ બની હતી ? સં. ૨૦૦૦નું ચોમાસું સૂરિસમ્રાટ ખંભાતમાં રહ્યા હતા. યોગાનુયોગ, નવા તિથિમતથી કંટાળેલા ને એના નિવારણ માટે પ્રબળ ઉત્સુકતા ધરાવનાર આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ પણ ત્યાં જ ચોમાસુ હતા. આ એ જ ખંભાત હતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy