SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૪૭] માંડ્યા. નાના-મોટા સેંકડે જીવોને એમણે છોડાવ્યા. ને એ બધાના ટોળાને પાંજરાપળે લાવ્યા. ત્યાં એક પછી એક મૂંગા જીવને લઈને એમની પાસે જાય, ને એમના કાનમાં કહે કે “સાહેબજી! આપના નિમિત્ત આ જીવને અભયદાન આપીએ છીએ.” પછી એને પાછલે બારણેથી લઈ જાય. આમ, સેંકડો જી એમની પાસે લઈ ગયા. સારાભાઈના રહેવા મુજબ, તેઓ જ્યારે જીવ છોડાવ્યાનું એમના કાનમાં કહેતા, ત્યારે એ હોંકારો દેતા. આ પછી, એ દિવસે, મોડેથી ડોકટરને એક અને આખરી ઉપચાર-ઈજેકશનનો પ્રગ–કરવાનું જરૂરી લાગ્યું. એમણે એ માટે તૈયારી કરી. પણ એ ઈજેકશન હાથની નસમાં આપવાનું હતું. એ નસ કોઈના હાથમાં ન આવે. હવે શું થાય ? બધા ડૉકટરેએ મહેનત કરી, પણ ન ફળી. સૌ થાક્યા. ડે. સભાગચંદ સૌને યાદ આવ્યા. એ વખતે એ બહાર ગયા હતા. તાબડતોબ એમને બોલાવી મંગાવ્યા. આવતાંવેંત એમણે નસ હાથમાં લીધી, ને ઈજેકશન આપી દીધું. આ પછી કેટલીક વારે વળતાં પાણી થયાં. નાડીના ને છાતીના ધબકારા, પ્રેશર, આ બધું ધીમે ધીમે નિયમ પ્રમાણે શરૂ થતું ચાલ્યું ને બરાબર તેર કલાક બાદ થોડી વારે એમણે આંખ ઉઘાડી. એમને સંભાળવા આતુર ડોકટરે, અને એમને સાજા થયેલા જેવા ઉત્કંઠ મુનિસમુદાય તથા જનમેદનીના આનંદને અવધિ ન રહ્યો. ઉપાશ્રય પિળ જયનાન્શી ગાજી ઊઠયાં. આચાર્યશ્રીને તે આ બધું જોઈને ભારે કૌતુક થયું ? આ બધું શું છે ? આ બધાં કેમ ભેગાં મળ્યાં છે ? એમને તે હતું કે હું ઊંઘમાંથી ઊઠવ્યો છું. આ પછી સૌના અદધર બનેલા જીવ હેઠા બેઠા. એમના જીવનની આ અસાધારણ જીવલેણ બિમારી હતી. એ કહેતાં : “આમાંથી હું જાગે, ત્યાર પછી મને લાગ્યું કે મારે પુનર્જન્મ થયો છે.” આ પછી પણ લગભગ બારેક મહિના સુધી તે બ્લડપ્રેશર, ઊલટી અને ભરપૂર નબળાઈ વગેરે વ્યાધિઓની સતત હેરાનગતિ ચાલુ રહી. દવા-ઈજેકશનો પણ સતત ચાલુ રહ્યાં. આ પછી એકવાર મોટા મોટા સર્જન ડોકટરેની એક કેન્ફરન્સ ખાસ એમને માટે મળી. ધુરંધર ડેકટરે એમાં ભેગા થયેલા. એમણે એમના આજદિન સુધીના એકસ-રે, રિપોર્ટો વગેરે ઉપર ગંભીર ચર્ચા-વિચારણા કરી. છેવટે એ બધા સર્વાનુમતે એક નિર્ણય પર આવ્યા કે એમના પર ઑપરેશન કરવું જોઈએ. આવા મોટા ડોકટરના નિર્ણય કે અભિપ્રાય સામે કોની હેસિયત હોય કે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy