SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનિધિ સંઘનાયક [૨૭] હરણગે વૃદ્ધિ પામતી નન્દનવિજ્યજીની વિદ્યાને આ બે પાંખને સબળ સહારો હતો. એ ભણતા; ભણતી વખતે ગુરુભગવંતનાં કઠોર વચનો સાંભળતા; શિક્ષાચ સહેતા. પણ આ બધું જ વિનયથી. એ વિનય જોઈને ગુરુભગવંતને મન થતું : આને ખૂબ ભણવું, જલદી તૈયાર કરું. એ મુનિજીવનના કઠોર આચારો પાળતા. તપ-ત્યાગમાં અપ્રમત્ત રહેતા. બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું જ વિવેકને મોખરે રાખી કરતા. પિતાનું લેશમાત્ર વર્તન અવિવેકી ન બની જાય એ માટે તેઓ સતત જાગૃતિ રાખતા. આ ગુણોએ એમની વિકાસયાત્રાને વેગવાન બનાવી. સૂરિસમ્રાટ અને સંસ્કૃત વામયના અજોડ સમ્રાટ પંડિત શશિનાથ ઝા પાસે તેઓ વ્યાકરણ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય, વેદાન્ત, પાતંજલ વગેરે દર્શનના મૂર્ધન્ય ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા. જૈન સાહિત્યને અભ્યાસ પણ ચાલુ જ હતા. એક તે મુનિજીવન જ કઠોર, એમાં મેવાડ-મારવાડના પ્રદેશ ને ત્યાં વિહાર પણ અતિકઠોર. મેવાડનાં ગામમાં એમને નડેલી તકલીફ, અને જેસલમેર તીર્થની સંઘ સાથે યાત્રા વખતે ત્યાંના ભેંકાર રણપ્રદેશમાં વેઠેલાં કષ્ટોનું બયાન તે કોઈને પણ આશ્ચર્યમાં નાખી દે એવું છે. એ તકલીફ ને કષ્ટ વચ્ચે પણ એમની અભ્યાસયાત્રા તે અવિરત ચાલુ જ હતી, એ કહેતા : “અમે વિહાર કરીને સામે ગામ પહોંચીએ, એટલે તરત જ મોટા મહારાજ બધા ભણનાર સાધુઓને ગામ બહાર જંગલમાં લઈ જાય. ત્યાં ઝાડ તળે બે-ચાર કલાક બેસે, ને બધાને તનતોડ ભણાવે. ખાવા-પીવાનું તો, સ્થિરતામાં કે વિહારમાં, સવારના કોઈને હોય જ નહિ. ખુદ મોટા મહારાજ પણ બપોરે બાર વાગ્યા લગભગ પચ્ચકખાણ પારતા. તે વખતે જ બધાએ આહાર-પાણી કરવાનાં. ત્યાં સુધી આ રીતે અભ્યાસ ચાલે. જે ગામમાં રહીએ તો લોકો આવ-જા કરે, ને સમય બગડે. માટે બધાને લઈને તેઓ શાંત-એકાંત જંગલમાં જઈ બેસતા. અને ગામમાં હોઈએ તેય મેટા મહારાજને કડક નિયમ હતો : પિતે ઉપાશ્રયની વચ્ચોવચ બેસે. ચોતરફ ફરતાં સાધુઓનાં આસન હોય. બધા પોતાના ભણવામાં તલ્લીન હેય. મોટા મહારાજ પાસે જાતજાતના લોકો આવે. મેટા શેઠિયાય આવે ને અમલદારેય આવે. પણ એમાંના કેઈની સાથે અમારે કઈ સાધુએ લગારે વાત કરવાની નહિ. એ લેકે શાતા પૂછવા આવે, તો એને પણ જવાબ નહિ આપવાને. ઊલટું, ક્યારેક તે પૂછવા જનારને જ મોટા મહારાજ ઉઘડો લઈ લે: “તારે મારા સાધુને વાતોડિ બનાવીને બગાડી મૂક છે ? શાતા પૂછવી હોય તો મને નથી પુછાતી ? કામ હોય તો હું નથી બેઠો ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy