SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય [૧૯]. પૈસા દેવદ્રવ્યમાંથી શા માટે ન લઈ શકે ? એ તો એની મહેનતના પૈસા લે છે, એમાં શું વાંધો ? મને તો જરાય વાંધો નથી લાગતું.” (૧૦) પૂજ્યવરની પાસે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે રચેલા લોકપ્રકાશ ગ્રંથના તેમણે પિતાના હાથે જ ચીતરેલાં ચિત્ર-યંત્રાદિકના અઠ્ઠાવન કે એટલાં પાનાં હતાં. એ પાનાં જેમાં હોવાં જોઈએ એ આખી પ્રતિ ન હતી, માત્ર એમાંનાં આટલાં પાનાં જ હતાં. પૂજ્યવરે એક વાર આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીને એ દેખાડેલાં. આ પછી કેટલાંક વર્ષ બાદ કઈક ગામના ભંડારમાંથી પુણ્યવિજયજી મહારાજને લેકપ્રકાશની વિનયવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી આખી પ્રતિ મળી આવી. એ પ્રતિમાં પૂજ્યવર પાસે હતાં, એટલાં જ પાનાં ખૂટતાં હતાં. પુણ્યવિજયજી મહારાજે પૂજ્યવરને આ વિગત જણાવીને પેલાં પાનાં જેવા મંગાવ્યાં. પૂજ્યવરે એ મોકલી આપ્યાં. પુણ્યવિજયજી મહારાજે એ પાનાને પેલી પ્રતિની સાથે મેળવ્યાં તો તરત જ પ્રતિ સંપૂર્ણ બની ગઈ. એમણે એ વિગત પૂજ્યવરને જણાવી. એ જાણીને પૂજ્યવરને થયુંઃ આ અઠ્ઠાવન પાનાં મારી પાસે રહેશે તો આખી પ્રતિ ગુટક અને વિભાજિત રહેશે. મનેય આનંદ નહિ આવે ને એમનેય મજા નહિ આવે. આ કરતાં આ પાનાં એમની પાસે રહેશે તે એમને એમના સંશોધનમાં ઉપયોગી થશે ને પ્રતિ પણ એક ઠેકાણે અખંડ બની રહેશે. આ વિચાર કરી એમણે પુણ્યવિજયજી મહારાજને લખ્યું કે, એ અઠ્ઠાવન પાનાં તમારી પાસે એ પ્રતિમાં જ રાખજે; પાછાં મોકલવાની જરૂર નથી. (૧૧) ગની આરાધનાને પૂજ્યવર સાધુજીવનની સર્વોત્તમ અને આવશ્યક આરાધના માનતા. એ આરાધના અપ્રમત્ત ભાવે કરવાને તેઓ ખાસ આગ્રહ અને ચીવટ રાખતા. ખંભાતમાં સં. ૨૦૩૦માં એમની નિશ્રામાં, એમના હાથે, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તથા શ્રી આચારાંગસૂત્રના જેગ કરવાની મને ધન્ય તક મળી. એ દરમિયાન, ગની પ્રત્યેક કિયા વિશુદ્ધ અને અપ્રમત્ત-અપ્લાનભાવે થાય, ગોચરીપાણીમાં બધા નિયમો કડકપણે પળાય, ક્રિયામાં સહેજ પણ ગરબડ રહે નહિ, એ માટે એમની ચોકસાઈ અને કાળજી મેં બરાબર અનુભવી. તેઓ કહેતાઃ “જોગ અને તપ એ તે દેવતાધિષિત છે. કઈ માણસ મહિનાના ઉપવાસ કરે, એના શરીરમાં અમુક દિવસો પછી શક્તિ, સ્કૂતિ ને તેજ કેમ વધતાં હોય છે? એનો તપ દેવાધિષ્ઠિત બની જાય છે તેથી. એ જ રીતે જોગ એ તો સાધુજીવનની ઉત્કૃષ્ટ આરાધના છે. એમાં સહેજ પણ ખામી કે પ્રમાદ કે અતિચાર સેવવા નહિ, એ સેવશો તે એ આરાધના વિફળ બનશે.” જોગ ન કર્યા હોય તેવા મુનિને પદવી આપવાની તેઓ ના કહેતા. કેટલાક લોકે, વગર જેગ કર્યો, પદવી લેવા માટે પૂજ્યવર પાસે સંમતિ મેળવવાને સીધી કે આડકતરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy