SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ આચાર્ય મહારાજની ઉદારતા લેખક–શેઠ શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી પૂ. આ. ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજીને જૈન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હતો, એટલું જ નહીં, પણ સાથે સાથે હિંદુ ધર્મશાસ્ત્રોને પણ સારે અભ્યાસ હતે. તેના પરિણામે જૈન દર્શનને સ્યાદવાદનો સિદ્ધાંત, જે ધર્મના પાયારૂપ છે, તે તેમના આચરણમાં તથા વાણીમાં ઓતપ્રોત થઈને ગૂંથાયેલ હતો. તેથી તેમની સમન્વય કરવાની શક્તિની, કઈ ધર્મની અગર વ્યક્તિની નિંદામાં નહીં પડતાં ફક્ત ગુણની અનુમોદના કરવાની વૃત્તિની તેમ જ સરળતા તથા તત્ત્વપ્રરૂપણની દૃષ્ટિની તેમનું વ્યાખ્યાન સાંભળનારાના મન ઉપર ઘણી ઊંડી અસર પડતી. તેઓ કેઈની સાથે ખોટા વાદવિવાદમાં ન ઊતરતા. સામા પક્ષની વાત ધીરજ અને શાંતિપૂર્વક સમજી, કોઈ પણ જાતના આગ્રહ વગર, પોતાની વાત સામી વ્યક્તિને સમજાવતા અને એમ કરીને મતભેદના મૂળને શોધીને તેનું નિરાકરણ કરી આપતા. એમની આવી શૈલીથી મોટે ભાગે સમાધાન અને આનંદનું વાતાવરણ પ્રસરી જતું અને ક્યારેક આવું સમાધાન થવા ન પામે તોપણ સામી વ્યક્તિના મનમાં કઈ જાતની કડવાશ ઊભી થવા ન પામતી. ભગવાન મહાવીરસ્વામીએ પ્રરૂપેલી સ્યાદ્વાદશૈલી અને અનાગ્રહવૃતિના સારને સમજીને તથા પચાવીને તેઓશ્રીએ સાધેલ સમન્વયદષ્ટિનું જ આ પરિણામ હતું. તેઓશ્રીનો ગુરુભક્તિને ગુણ જૈન સંઘમાં સારી રીતે જાણીતા હતા. પિોતે અનેક સ્વ-પર શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હોવા છતાં પોતાને તેઓ પોતાના દાદાગુરુ, શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના તથા પોતાના ગુરુદેવ આ. ભ. શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજના ચરણકિંકર જ લેખતા હતા; અને પિતાને જ્ઞાનની તથા ચારિત્ર્યની જે કંઈ પ્રાપ્તિ થઈ છે તે ગુરુવર્યોની સેવા ભક્તિના જ પ્રતાપે થઈ છે એમ માનતા હતા. જિંદગીના અંત સુધી ટકી રહેલી તેઓશ્રીની ગુરુભક્તિની આ ભાવના બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી ઉત્તમ હતી. તેઓ જૈન તથા જૈનેતર શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હોવા સાથે શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના મહાન જ્ઞાતા હતા. તેથી જિનમંદિર બનાવવાની બાબતમાં, એને જીર્ણોદ્ધારની બાબતમાં તથા એના દોષને શોધીને એનું નિવારણ કરવાની બાબતમાં તેઓનું માર્ગદર્શન ખૂબ ઉપયોગી નીવડતું. અને અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન વગેરે ધર્મક્રિયાઓ માટેનાં તેઓશ્રીએ આપેલાં મુહૂર્તી ખૂબ મંગલમય લેખાતાં. તેથી જૈન સંઘના જુદા જુદા ફિરકા અને ગચ્છો તરફથી આવાં મુહૂર્તો કાઢી આપવાની સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy