SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૮] આ. વિ.નંદનસૂરિ-સ્મારક્યથ બરાબર પાંચમાં દસ મિનિટ ઓછી હતી, ત્યારે ગોચરી આવી. વાપરવા બેઠા. પાસે સુરેન્દ્રવિજયજી ને દાનવિજયજી હતા. વાપરી રહ્યા એટલે પાત્રા ધોતા કહેઃ “જાવ, તમે વાપરવા જાવ.” અને એ પછી એક મિનિટ પછી મોં ધોતા ધોતાં એકદમ બોલ્યાં : “મને કંઈક થાય છે.” અને એકદમ નમી ગયા. જીભ થોથવાઈ ગઈ, વળી ગયો. હાથમાંથી પ્યાલે સરી પડ્યા. સમયાનું ને મારું નામ બેલવા પ્રયત્ન કર્યો, પણ એક અક્ષરથી વધુ ન બોલી શક્યા. તરત જ સુરેન્દ્રવિજયજીએ સમિયાને બોલાવ્યો. એણે મને બૂમ પાડી. હું દોડ્યા. જોયું તો થ્રોમ્બોસીસ જેવું લાગ્યું. મેં મારા ગુરુ મહારાજને બોલાવ્યા. બધા ગોચરી પડતી મૂકીને દોડ્યા, મહારાજને ઉપાડીને પાટ પર સૂવાડી દીધા. - ડે. કિશોરભાઈ ગામમાં ગયેલા તેમને તાબડતોબ બોલાવ્યા. એમણે આવતાં જ નાડ હાથમાં લીધી. એમને ગેસ વધતો લાગ્યો. તરત નીલગીરી ચળવા માંડ્યું. નાડના ધબકારા બરાબર હતા. આંખો બંધ હતી. ડોકટરે બૂમ પાડી: “મહારાજ સાહેબ!” તરત આંખ ઉઘાડી, જોયું ને બંધ કરી. બીજી વાર બૂમ પાડી. બીજી વાર આંખ ખેલી. પછી ત્રીજી વાર બૂમ પાડી, ત્યારે ન ખોલી. છાતીની ધમણનો વેગ વધવા માંડ હતું, દબાણ પેટ પરથી હૃદય પર આવ્યું હતું અને નાડી મંદ થવા લાગી હતી. ડૉકટરે સૂચના કરીઃ “સાહેબ ! કેસ બગડતો જાય છે. હાથમાં નહિ રહે.” - બધા બોલી ઊઠયાઃ “શું કહો છો, ડૉકટર? તમારે જે ઉપચાર કરવા હોય એ કરે, પણ મહારાજને બચાવે.” ડૉકટરે એક ઇન્જકશન આપ્યું; ધંધુકાથી ડે. ગાંધીને બેલાવવા સૂચન કર્યું. આ જંગલમાં તાબડતોબ સાધન ક્યાં મળે? પણ એ જ મિનિટે પાલિતાણાથી યાત્રા કરીને પાછું ફરતું પાંજરાપોળનું ફડિયા કુટુંબ મોટરમાં ત્યાં આવી ચડયું. એ મેટરને તત્કાળ ધંધુકા રવાના કરી. તગડીના સ્ટેશનમાસ્તર દ્વારા અમદાવાદ ફુલચંદભાઈ વગેરે પર સમાચાર મોકલ્યા કે જલદી ડૉકટરને લઈને આવે. આ પણ અહીં તો, મિનિટ શું, સેકન્ડેસેકન્ડ જોખમની હતી. ડૉકટર બેબાકળા થઈ ગયા. એ કહે : “મહારાજ ! હવે જાય છે. આપને જે કરવું હોય એ કરો.” કે તરત ચાર શરણાં ને નવકાર મંત્રનું રટણ શરૂ થયું. એ વખતે એક વાર એમણે એમની આંખ ઉઘાડી, ચોતરફ ફેરવી, ને મીંચી દીધી. માં પર પ્રસન્ન હાસ્ય છવાઈ ગયું. પાંચ ને વીસ મિનિટે ધબકારા બંધ થયા, નાડી અટકી ગઈ! વૈકટરે બરાબર ચકાસણી કરી, તપાસ કરી, ને પાંચ-પચીસ મિનિટે ડોકટર બોલ્યા: “એકસ્પાયર્ડ, હાર્ટ ફેઈલ્ડ.” સૌનાં હૈયાં થીજી ગયાં. મન માનવાને તૈયાર ન થયું, કાન સાંભળવા તૈયાર ન થયા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy