SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ અરે, આથી તો એકતિથિપક્ષમાં પણ ઘડીભર સન્નાટો છવાઈ ગયે; નિવેદનનું ઊંડું તાત્પર્ય સૌને જલદી ન સમજાયું. પણ, પછી તો, ગણતરીની જ પળમાં સૌની બુદ્ધિમાં આ નિવેદનના મુદ્દાઓ સરળતાથી ઊતરી ગયા. તાત્પર્ય સમજાતાં જ નિવેદન સર્વસમ્મત બની ગયું. શ્રી વિજયનંદસૂરિજીને સોંપેલું નેતૃત્વ અને એમનામાં મૂકેલો વિશ્વાસ સૌને ફળીભૂત થતાં દેખાયાં. સામા પક્ષે જે મુદ્દા પર આખા પ્રવાહને પોતાની તરફ વાળવાની ગણતરીઓ ગોઠવેલી, તે જ મુદ્દો “બાર પર્વતિથિ ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ” આમ કહીને શ્રી વિજયનંદનસૂરિજીએ તોડી નાખ્યો. અને સમેલનના સમગ્ર પ્રવાહને બેટી દિશામાં તણાઈ જતો અટકાવી દીધો. એમના આ મુદ્દા પર સામા પક્ષે સજજડ વિરોધ-વાંધો ઉઠાવ્યો. એ કહે: અમે તે બાર પર્વતિથિની ચર્ચા કરવાની છે, એ માટે જ ભેગા થવાનું છે, એમ સમજીને જ અહીં આવ્યા છીએ. અમને પહેલેથી આવી ખબર હોત તે ન આવત.” આના ઉત્તરમાં શ્રી વિજયનંદસૂરિજીએ ખૂબ સ્પષ્ટ કર્યું: “પણ અમે તો અહીં સંવત્સરીની ચર્ચા-વિચારણા કરવાની છે, એમ સમજીને જ આવ્યા છીએ; બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકાની ચર્ચા નથી કરવાની, એમ સમજીને જ આવ્યા છીએ. એ પ્રણાલિકા ચર્ચાનો વિષય હોઈ શકે જ નહિ. એ પ્રણાલિકા તે સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા સિદ્ધાનરૂપ છે. અને એ પ્રણાલિકા માતા સમાન છે. અને હંમેશા ચર્ચાને વિષય દીકરી હોઈ શકે, માતા નહિ. તમે ૧૯૯૨થી આ પ્રણાલિકાનો ભંગ કરીને, તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા સિવાય, બારપર્વની ક્ષય-વૃદ્ધિની નવી આચરણ આદરી છે, માટે પહેલાં એ નવી આચરણાને ત્યાગ કરીને શુદ્ધ પ્રણાલિકા સ્વીકારી લે, પછી એની વિચારણા આપણે સાથે બેસીને કરીશું; તે સિવાય હરગિજ નહિ.” એમના આ વિધાનને સામા પક્ષે “ચર્ચાનાં દ્વાર બંધ કરવા” રૂપ ગણાવ્યું. એમણે એમના રોજિંદા રિવાજ મુજબ ગણગણવા માંડયું કે : “અમે તે શાસ્ત્રાર્થ દ્વારા તિથિના પ્રશ્નનો નિર્ણય લાવીને સંઘમાં શાંતિ સ્થાપવા ઘણા ઉત્સુક છીએ, પણ એકતિથિપક્ષને શાંતિ થવા જ ક્યાં દેવી છે? એ તો ચર્ચાના દરવાજા જ બંધ કરવા માગે છે, પછી શાંતિમય ઉકેલ શક્ય કેમ બને? વગેરે.” આ બધા કથનનો છેદ ઉડાડી નાંખતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : તમે નવી આચરણું ન કરી હોત તે ચર્ચાનાં દ્વાર જરૂર ખુલ્લાં રહેત. અને, સાચું સમજે તે, ચર્ચાનાં દ્વાર બંધ ક્યાં થયાં છે? હજી સંવત્સરીની, કલ્યાણકતિથિની ચર્ચા ઊભી જ છે. હા, બાર પર્વતિથિની ચર્ચા નહિ કરી શકાય, કેમ કે એ અંગે તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy