SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [] આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ બંધાય તેવા જવાબ મળ્યા. સમેલન એકત્ર કરવા માટેના અને એ માધ્યમે તિથિપ્રશ્નનો નિવેડો લાવવા માટેના પ્રયત્નને સૌએ સુંદર અને આવકારદાયક ગણાવ્યો. એટલે શેઠ કેશુભાઈએ, સમેલન કરવાનો નિર્ણય કરીને, બધા આચાર્યાદિ મુનિવરોને અમદાવાદ પધારવાની વિનતિ કરવી શરૂ કરી. શ્રી વિજયસૂરિજી મહારાજ અને શ્રી વિજયનંદનસૂરિજીને પણ વિનતિ પત્ર લખી મોકલ્ય. એ બંને આચાર્યોએ સમેલનના શુભ કાર્યમાં સમ્મતિ આપી. પણ શ્રી વિજયેદયસૂરિજી મહારાજને આંખની તકલીફ હતી, અને શ્રી વિજયનંદનસૂરિજીને ગેસ, લીવરના દુખાવાને કારણે વધુ પડતી નબળાઈ આવી ગઈ હતી અને વિહાર ન થઈ શકે એવી સ્થિતિ હતી, એટલે એ બંનેએ હાજર રહેવાની પિતાની અંગત પ્રતિકૂળતા પણ જણાવી. પણ, આની અસર વિપરીત થઈ શેઠે શ્રી વિજયનંદનસૂરિજીને જણાવ્યું : “આપના તરફથી આપે આવવું જ પડશે. આપ અહીં આવવાનો વિચાર નહીં રાખે તે આપનો સમુદાય નિર્ણય કરવા માગતો નથી તેવું સામા પક્ષને બોલવાનું થશે.” શ્રી વિજયનંદનસૂરિજી એકતા માટે ખૂબ ખૂબ આતુર હતા, પણ, જ્યાં તબિયત જ કહ્યું ન કરતી હોય, ત્યાં તેઓ શું કરી શકે ? એમણે શેઠને જવાબ લખ્યો : “તિથિચર્ચાનો એક નિર્ણય આવે એવી અમે પણ પૂર્ણ ઈરછાવાળા છીએ. આપના તરફથી આપે આવવું જ પડશે.” લખ્યું, તે તમે પણ સારી રીતે સમજી શકો છો કે અમારી તબિયત તેવો શ્રમ લઈ શકીએ તેવી અનુકૂળતાવાળી બિલકુલ નથી. હજુ કાયમ ગેસ, પડખાને દુખાવો રહ્યા જ કરે છે, તેમ જ નબળાઈ તે ખૂબ જ રહે છે. હજુ અર્ધો માઈલ ચાલી શકાય તથા દાદરે ચડી શકાય તેટલી પણ શક્તિ નથી. ....આવી અમારી પરવશતાની સ્થિતિમાં અમે ત્યાં કઈ રીતે પહોંચી શકીએ ? અને કઈ રીતે ત્યાં પરિશ્રમ લઈ શકીએ ? “આપ નહી આવે તો આપને સમુદાય નિર્ણય કરવા માગતા નથી તેવું સામા પક્ષને બોલવાનું થશે.” વિ. જે તમોએ લખ્યું તે વ્યાજબી નથી. અમારા સમુદાય તરફથી કેઈ હાજર ન રહે, અથવા તો સર્વાનુમતે જે નિર્ણય આવે તે અમે કબૂલ ન રાખતા હોઈએ, તો કદાચ સામા પક્ષને કે બીજાને તમારા લખવા પ્રમાણે બોલવાનું થાય એમ કહી શકાય, પણ એવું અમારા તરફથી કઈ છે જ નહિ.” આ સ્પષ્ટ ખુલાસાથી શેઠને ખૂબ સંતોષ છે. તેમણે વળતો પત્ર લખ્યું : આપની તબિયતના સમાચાર જાણી ચિન્તા થાય છે. તબિયતની અનુકૂળતા મુજબ વર્તવાનું રાખશે...આપને આવવું પડશે, એવું મેં જે લખ્યું છે તે પણ “આપના સિવાય ઠેકાણું પડે તેમ નથી.” તેમ બધાના અભિપ્રાય જાણીને જ લખ્યું છે.....સંઘની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy