SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૬ ] આ. વિ.નંદનસૂરિ-સ્મારકશ્ર થ હતી. એમના જીવનના આખરી દિવસમાં એ સતત એમની પાસે જ બેસી રહેતા, ને સૂરિસમ્રાટનુ મન પ્રફુલ્લિત રહે એવી વાતા કરતા. સ્વવાસના બે દિવસ અગાઉ, ધનતેરશે સૂરિસમ્રાટને કઇક ઠીક જણાયું, એટલે એમણે કહ્યું : “ સાહેબ ! પરમ દિવસે દિવાળી છે. અને પેલે દિવસે-બેસતા વર્ષે -આપને જન્મદિવસ છે.” સૂરિસમ્રાટ કહે : “ આપણે કત્યાં દિવાળી જોવાની છે ?” આ સાંભળીને શ્રી વિજયનંદનસૂરિજી ગળગળા થઈ ગયા. એમણે કહ્યું : “ સાહેબ ! આપ આમ કેમ બેલેા છે?” એ જ દિવસે બપોરે સૂરિસમ્રાટ એમને મેલાવીને કહે : “ નંદન ! તું મારી પાસે એસ, મને ગાતું નથી.” પછી સૂરિસમ્રાટે એમને અનેક ઉપયેાગી ખાખતાની સૂચનાઓ-ભલામણા કરી, આસો વદ અમાસે તખિયત ગભીર થઈ, ત્યારે ડોક્ટરોએ એક ઇન્જેકશન આપવા ઇચ્છા દર્શાવી. એ વખતે એમણે જ ડૉકટરને કહ્યું : “ ડૉકટર ! જો ઇન્જેકશન આપવાથી આયુષ્યખળ વધતું હોય તે જ આપે. નહિ તે, મહારાજજીએ આખી જિંદગીમાં ઇન્જેકશન નથી લીધું, તેથી આ સમયે એમને આપીને એમની અસ્વસ્થતામાં વધારો કરવા નથી.” ૉકટર પણ આ વાતમાં સમત થયા. ચાવીશ કલાકની એકેએક પળને અને પેાતાના ધાસાસને ગુરુની સેવામાં એકાકાર બનાવનારને મન ગુરુના વિરહના આઘાત કેવા આકરા નીવડે એના અનુભવ સૂરિસમ્રાટના સ્વર્ગાગમન પછી એમના આ બધા શિષ્યાનાં દર્શને થયા. સૂરિસમ્રાટનુ જીવનચરિત્ર લખાવવાની પૂર્ણ ઇચ્છા, છતાં જ્યારે જ્યારે એમના જીવનની વાત નીકળે, અથવા કાઈ પૂછે, ત્યારે પૂજ્ય વિજયાદયસૂરિજી મહારાજ તથા શ્રી વિજયનંદનસૂરિજી મહારાજની આંખે આંસુનાં જાળાં બંધાઈ જતાં અને ગળે ડૂમા ભરાઈ આવતા. પરિણામે તેએ સૂરિસમ્રાટના જીવનની વાતો કરવા અસમર્થ બની જતા. પણ, ધીમે ધીમે, વર્ષો જતાં ગયાં એમ, સૂરિસમ્રાટનુ પોતે અનુભવેલુ મહાન પવિત્ર જીવન સમાજ સમક્ષ રજૂ કરવાની અને એ દ્વારા ગુરુભક્તિના લાભ હાંસલ કરવાની ભાવના પ્રબળ બનતી ગઈ. અને ગુરુ-શિષ્યે ભેગા મળીને એક જીવન-નેાંધ તૈયાર કરાવી. તે પરથી વ્યવસ્થિત જીવનચરિત્ર તૈયાર કરાવવા માટે કેટલાક પ્રયાસ કર્યો. અને આખરે, સૂરિસમ્રાટના જન્મશતાબ્દી વર્ષમાં એમનું જીવનચરિત્ર પ્રકાશિત કરાવ્યું, જેમ સૂરિસમ્રાટના હસ્તે થયેલ તમામ અંજનશલાકા અને અન્ય અનુષ્ઠાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy