SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ વિમલસરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમચરિય પણ એક બહુ જ સુંદર અને સર્વોત્તમ કાવ્ય થઈ રહેત. પણ વિમલસૂરિએ ધાર્મિક દ્રષ્ટિને પ્રાધાન્ય. આપ્યું અને આ દષ્ટિને ગૌણ સ્વરૂપ આપ્યું એટલે જ આ પઉમચરિય એક મહાકાવ્ય હોવા છતાં પણ કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ અતિસુંદર, અદ્વિતીય મહાકાવ્ય નથી. - પઉમરિય ઐતિહાસિક દૃષ્ટિએ એક બહુ જ પ્રાચીન કાવ્યું છે અને તેથી જ તેમાં આલેખાએલું સામાજિક જીવને જાણવા યોગ્ય છે. તત્કાલીન સંસ્કૃતિ અને કલા કેવી હતી તે ખાસ જાણવા લાયક છે. શિક્ષણ-વિદ્યાભ્યાસ આદિ વિષય લઈએ તે જણાય છે કે તે સમયમાં વિદ્યાર્થીઓને બહુ જ " ઊંડો અભ્યાસ કરાવવામાં આવતા હતા. ખાસ કરીને રાજપુત્રે, રાજકુમારીઓ પઉમચરિયના વાચ- વિગેરેને વિદ્યામાં નિપુણ બનાવવામાં આવતાં હતાં. દા. ત. કૈકેયીને જ નથી મળી આવતા દાખલે લઈએ તે જાણી શકીશું કે તે વિવિધકલાગમકુશલ હતી. તેને ગુણ સામાજિક જીવનની અને લક્ષણ સહિત નાટ્યકલા, સ્વરવિભકિતયુક્ત ગાન્ધર્વ વિદ્યા, ચતુર્વિધ વેદક, ટૂંકી રૂપરેખા અને આભારવિધિશબ્દ અને લક્ષણવાળું લિપિશાસ્ત્ર, ગજ અને તુરગનાં લક્ષણે, તત્કાલીન સંસ્કૃતિ ગણિતશાસ્ત્ર, છન્દ શાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, આલેખનકલા, લેપ કરવાની કલા, અને કલાનું સંક્ષિપ્ત પત્રછેદ કલા, ભજનવિધિ, વિવિધરત્નપરીક્ષા, કુસુમ પરીક્ષા, જુદા જુદા ભેદવર્ણન વાળું ધૂત, ગધયુક્તિ, તદુપરાંત લેકેપયોગી વ્યાવહારિક જ્ઞાન ઈત્યાદિ શિખવાડવામાં આવ્યાં હતાં. આ ઉપરથી જણાય છે કે તે સમયમાં લિપિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, છન્દ શાસ્ત્ર વિગેરે ખાસ શિખવાડવામાં આવતાં હતાં અને વિશિષ્ટ કક્ષાના વિદ્યાર્થીઓને ઉપર્યુકત અન્ય કલાજ્ઞાન પણ આપવામાં આવતું હતું. સામાજિક જીવનને બીજો એક વિષય લઈએ તે જણાય છે કે તે સમયમાં વેશ્યાઓને સમાજમાં ઊંચું સ્થાન આપવામાં આવતું હતું. તે સ્ત્રીઓ બહુ જ ચતુર અને વિચક્ષણ તેમ જ સર્વ વિદ્યામાં પારંગત મનાતી હતી. લેકેમાં શુકન અપશુકનની માન્યતા ઘણું જ હતી. ગધેડાનું ભૂંકવું, શિયાળનું રડવું, ઘોડાનું હણહણવું વિગેરે અપશુકન ગણાતાં હતાં. અમુક પક્ષીઓનો અવાજ શુકનરૂપ ગણાતો હતો. તે સમયે માણસો જોષીઓમાં પણ બહુ જ માનતા હતા. કેટલાક પુરુષો સ્વપ્નોના અર્થ જાણવાવાળા હતા. આપણે પઉમરિયમાં ઘણીવાર જોઈએ છીએ કે અમુક રાણુઓને અમુક જાતનાં સ્વપ્નાં આવે છે. પછી તે પોતાના પતિને–રાજાને કહે છે એટલે કેાઈ વખતે રાજા પોતે જ તેને અર્થ કહે છે અથવા તો કોઈ નૈમિત્તિકને બોલાવી પૂછે છે. પઉમરિયામાં આવા અષ્ટાંગનિમિત્તધરના ઘણા ઉલ્લેખો મળી આવે છે. જ્યારે જ્યારે શુભકાર્ય કરવું હોય ત્યારે માણસે તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, લગ્ન વિગેરે જઈને શુભ કાર્ય આરંભે છે. આ ઉપરથી જણાય છે કે તે સમયમાં સમાજમાં જયોતિષશાસ્ત્રને માટે ઘણું જ માન હતું. છૂતની રમત પ્રજામાં ઘણી જ પ્રચલિત હતી. પઉમચરિયમાં એક એવો દાખલે પણ આપે છે કે જેમાં છૂતને કારણે એક માણસ અકિંચન થઈ ગયો અને બહુ જ બેહાલ થઈ ગયે. [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy