________________
શ્રી. હેમચંદ્ર સુરીશ્વરનું દ્વયાશ્રય કાવ્ય કુમારપાળ જૈન મુનિઓને કહે છે: “હું તમને વંદન કરું છું. ” જેન મુનિઓ કહે છે: “તારો જય થાઓ. તું જેન થા.” કુમારપાળ ઉત્તર આપે છે: “હે આઈ તો ! હું તમને ફરી અભિવંદના કરું છું.’ આ તે કહે છે: “હે રાજા ! હે કુમારપાળ! તું સુકૃતવાન થા. તને ધર્મલાભ થાઓ. તું આયુષ્યમાન થા. તું જેના દર્શનનો પ્રચાર કર.” એવી રીતે કહેવાતા એ રાજાએ સ્ફટિકના પાનાથ બિંબવાળું સોનાનું અને ચંદ્રનીલવાળું ચિત્ય (અણહિલ્લ પાટકમાં ) કર્યું.
ઉપર થાશ્રયની માત્ર રૂપરેખા આપી છે, તેને વિગતવાર અભ્યાસ થવો જોઇએ. આખું સંસ્કૃત કાવ્ય ટીકા સાથે વાંચતાં મને તેની ઉપગિતા અનેકવિધ જણાઈ છે. એ વિવિધ ઉપગિતાનાં રહસ્ય માત્ર જેન પ્રજા નહી પણ ગર્જર અને ગુર્જરેતર સમાજ સમક્ષ કોઈ વાર મૂકવા તીવ્ર અભિલાષા છે. ગુજરાષ્ટ્રના તમામ સમાજે શ્રી હેમચંદ્રાચાર્યની અપ્રતિમ પ્રતિભા માટે અભિમાન ધરાવવું જોઈએ. હેમચંદ્ર આચાર્ય માત્ર જૈન વિભૂતિ નહોતા. તેમનું વ્યક્તિત્વ ગુર્જર હતું, આર્ય હતું, અગમ્ય સર્વજ્ઞત્વવાળું હતું. જે નવા જૂના ગજેર લેખકોએ તે સર્વજ્ઞ વ્યક્તિત્વને ઉપહાસ કર્યો છે તેમણે અક્ષમ્ય ગુન્હો કર્યો છે. હેમચંદ્રની પ્રતિભાની રજકણ જેટલી પ્રતિભા જેની નથી તેઓ આ ગુન્હ કરી શકે, એ હજુ ચાલુ છે તે જ આપણી અગ્યતા સૂચવે છે.
* ૧૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org