________________
ૐ .. जैनाचार्य श्री आत्मानंद जन्मशताब्दि स्मारक ग्रन्थ.
સિCIEીયકળ્યું
મોહનલાલ દલીચંદ દેસા.
ગત વર્ષમાં મુંબઈમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ વિરાજતા હતા તે સમયે તેમની પ્રેરણાથી વીસમી સદીના યુગપુરુષ, જૈન ધર્મની બૂઝાતી જ્યોતિ પ્રકટ કરનાર, ઘણાને બૂઝવનાર, પરમ સાધુ તરીકે રહી અનેકને શિષ્ય–પ્રશિષ્ય કરી સાધુગણ ઉત્પન્ન કરી ધર્મોપદેશને પ્રસારનાર, અમેરિકામાં પણ જૈન ધર્મને સુવાસ યુવાન ગ્રેજ્યુએટ વીરચંદભાઈદ્વારા ફેલાવનાર, શાસનરક્ષક, ધર્મપ્રભાવક શ્રીમદ્ વિજયાનન્દસૂરિ( આત્મારામજી)ની જન્મશતાબ્દિ ઉજવવા માટે એક સમિતિ નીમાઈ, તે સમિતિએ આ શતાબ્દિના સ્મારક તરીકે જુદા જુદા લેખકેના જુદી જુદી ભાષામાં લેખવાળો ગ્રન્થ બહાર માનદ પાડવાનું નક્કી કર્યું. તેના માનદ સંપાદક તરીકે મને નિયુક્ત કર્યો. ગ્રંથના રંગરૂપ( get-up )નું કાર્ય રા. ભાઈશ્રી “સુશીલને સેપ્યું. મુદ્રણકાર્ય ભાવનગરના શ્રી મહાદય પ્રિન્ટિંગ પ્રેસને આપ્યું. હિંદી અને ખાસ કરી અંગ્રેજી ભાષામાં જુદા જુદા પૌવંય વિદ્વાનો પાસેથી લેખો મેળવવાનું માનદ કાર્ય લાહોરના પ્રસિદ્ધ પુસ્તકવિક્રેતા મોતીલાલ બનારસીદાસવાળા શ્રીયુત સુન્દરલાલ જૈનને સુપ્રત કરવાનું
મેં ગૂજરાતીમાં અને હિન્દીમાં આમંત્રણ પત્રિકા છપાવી જાણીતા લેખક મહાશયો પર ગત આગસ્ટ-સપ્ટેમ્બરમાં મોકલવી શરૂ કરી. તે પૈકી ગૂજરાતી પત્રિકા નીચે પ્રમાણે હતી –
है सत्य आत्माराम यदि इस भूमि पर आते नहीं। तो आज ऐसी जैनसंस्था देख हम पाते नहीं । जिसकी दयासे पुस्तकालय और विद्यालय बने । कैसे न आत्माराम वह संसार प्रेमालय बने ? ॥ वे धन्य विजयानंदसूरि त्यागियों में गेय थे।
जिन धर्मके आधेय थे सुश्रावकोंके ध्येय थे । સુજ્ઞ શ્રી,
સંવત ૧૮૯૨(ગુજરાતી)માં જન્મ પામેલા આચાર્ય શ્રી આત્મારામજી, અપરનામ શ્રી વિજયાનન્દ-એ બે નામનો અનુક્રમે પ્રથમ અને બીજો શબ્દ લઈ બનેલા શ્રી “આત્માનન્દ ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org