SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ બોલાવી હતી. તે ગુજરાતના પાટનગર અમદાવાદ તરફ આવવા લાગ્યા. સં. ૨૦૪૬ના અષાઢ સુદ ૧૦ ના સુપ્રભાતે અમદાવાદ વસતા થરાદ નિવાસીઓ પૂ. ગુરુદેવશ્રીનો ચાતુર્માસ પ્રવેશ રંગે ચંગે કરાવવા હઠીભાઈની વાડી પાસે માનવ મહેરામણ રૂપે ઊભા હતા. ત્રણ-ત્રણ બેન્ડ વાજાં સાથે કુમારીકાઓ સુંદર વાભૂષસ પહેરી માથા ઉપર કલાત્મક સામૈયા લઈ ગુરુદેવશ્રીની પ્રતિક્ષા કરતી હતી અને પૂ. ગુરુદેવ શ્રીમદ્દ વિજયજયંતસેનસૂરીશ્વરજી જે હઠીભાઈની વાડીમાં આગળના દિવસે સાંજે આવી ગયા હતા તે અષાઢ સુદ ૧૦ ના પ્રભાતે ૬-૧૫ વાગે શ્રી હઠીભાઈની વાડીના જિનાલયમાં જિનદર્શન વંદન કરી શિષ્ય સુમદાય સાથે બહાર પધાર્યા ત્યારે થરાદની જૈન જનતા જયજયકાર કરી રહી હતી અને થરાદનાં નવયુવકો અબીલ ગુલાલ ઉડાડતા નાચી રહ્યા હતા. ગુરુભક્તિમાં લીન નાબાલ વૃધ્ધો પૂ. ગુરુદેવશ્રી સાથે અમદાવાદના અનેક રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અનેક સ્થળે પૂ ગુરુદેવશ્રીની ભાવભરી રહેણીઓ કરવામાં આવી રહી હતી સવારે ૬ વાગે નીકળેલ ચાતુર્માસ પ્રવેશનો આ ભવ્ય વરઘોડો પાંચ કલાકે નતપોળ હાથીખાના શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાનમંદિર પહોંચ્યો ત્યારે હાથીખાના ચોકઠું તો ટચૂકડું લાગતું હતું. સમગ્ર જનતા જ્યાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં ઊભી હતી. હાથીખાના-ગોલવાડની બધીજ ગલીઓ ચિક્કાર થઈ ગઈ હતી અને રતનપોળનો મુખ્ય માર્ગ પણ માણસોથી વિડિયારા માર્ક ઊભરાઈ ગયો હતો. આ પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીનું સ્વાગત કરવા ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ચીમનભાઈ પટેલ પુરવઠા પ્રધાન શ્રી. અશોક મકે, રાજ્ય ગૃહપ્રધાન શ્રી નરહરીભાઈ અમીન બનાસકાંઠાના લોકસભાના સભ્ય અને ગુજકોમાસાલના ચેરમેન તેમજ દિલ્હીમાં પણ પુરવઠા ખાતાનો હવાલો સંભાળનાર વડા (બનાસકાંઠા) ગામના જૈન અગ્રેસર શ્રી જયંતિલાલ વીરચંદભાઈ શાહે હાજરી આપી આ પ્રસંગને દીપાળો હતો અને ચાતુમાસ પ્રવેશ પ્રસંગને દીપાવવા થરાદવાસીઓએ અપૂર્વ જહેમત ઉઠાવી હતી અને વાજતે ગાજતે ચાતુમાસ પ્રવેશ કરી પૂ. ગુરુદેવશ્રીએ માંગલિક સંભળાવ્યું અને દરેક પોત-પોતાના ઘેર ગયા. આ ચાતુમાસ પ્રવેશ પ્રસંગે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ તે પ્રસંગે લગભગ ૭૦૦૦ થરાદવાસી અમદાવાદમાં છે તેની પ્રતીતિ થઈ હતી. સાતહજાર માણસો માટે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ રીતે અમદાવાદનું ચાનુમિસ શરૂ થતાં જ અનેક પ્રકારના ધર્મકાર્યોની શરૂઆત થઈ ગઈ. "શ્રીમદ રાજેન્દ્રસૂરિ ચિકિત્સાથ' થરાદ વાસીઓએ અમદાવાદમાં ઊભું કર્યું જેમાં થરાદનાં યુવાનોનો માટે ફાળો છે અને આ ચિકિત્સાવ્ય જૈનો માટે દરેક પ્રકારની મત સેવા આપે છે. શ્રી અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર નવયુવક પરિષદની બેઠક અમદાવાદ માં ભોગાવવામાં આવી જેમાં ભારતભરમાં સ્થપાયેલ આ સંસ્થાની શાખાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી બેઠકને સફળ બનાવી શ્રીમદ્ જયસેન ગામનન્દને ઘરગજરાતી વિભાગ Jain Education International શ્રીમદ્દ જયંતીનસૂરિ અભિનંદન ગ્રંથના સંપાદકોની પણ એક બેઠક પ.પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદ વિજયજીની નિશ્રામાં મળી અને સંપાદકોએ એકત્રિત કરેલ સાહિત્ય સુવ્યવસ્થિત કરી છાપવા માટે પ્રેસમાં આપવાની શરૂઆત કરી. પ.પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદવિજયજીનો આ અભિનંદન ગ્રંથ પ્રકાશન માટે અપૂર્વ ઉત્સાહ અને લગન તેમના પૂ. વર્તમાનાચાર્યશ્રી પ્રત્યેના અનહદ ભાવની પ્રતીતિ આપતો હતો. ૧૦૦ અને આવ્યા પર્યુષણ મહાપર્વ પર્યુષણ આવતાં પહેલાજ મહાન સિધ્ધિતપ-માસક્ષમણ - ૨૧ ઉપવાસ ૧૯ ઉપવાસ - ૧૬ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૦ ઉપવાસનાં પચ્ચખાણ લેવાવા માંડ્યા અને પર્યુષણ પર્વના પ્રથમ દિવસે અઠ્ઠાઈ તપના કેટલા પચ્ચકખાણ લેવામાં તેની તો ગણત્રી જ થઈ શકે તેમ નાની એકંદરે અાઈ અને મકાઈ ઉપરની ૮૦ તપસ્યાઓ થઈ હતી. અને બીજા આઠસો આરાધકોએ છઠ્ઠ અઠ્ઠમ વિ. તપ કર્યા હતા. રતનપોળ આખી જ પર્યુષણના આઠ દિવસ ધંધો ભૂલી ધર્મને વળગી હતી અને ભાદરવા સુદ ૫ ના પારણાના દિવસે થરાદવાસીઓ કોને શાતા પૂછી અને કોને ન પૂછી તેની પાર્ટીમાં અટવાઈ ગયા. કત્તા જે મળે તેને શાતા પૂછતાં તે નપરસ્ત્રી જ નીકળતું હતું રસ્તે આવતા દરેક ઘરમાં બેચાર તપસ્વીઓ જરૂર હોય જ. શાતા પૂછનાર ઓછા લાગતા હતા. તપસ્વીઓ વધુ લાગતા હતા અને સુદ-૬ ના દિવસે માસક્ષમણ કરનાર વોરા રસીકલાલ કાળીદાસ દંપતિ તરફથી સ્વામી વાત્સલ્ય ક૨વામાં આવ્યું જેની સુંદર વ્યવસ્થા અમદાવાદ રહેતા થરાદના યુવાનોએ ઉપાડી લીધી હતી. આ સ્વામી વાત્સલ્યનો લગભગ ૮૦૦૦ ભાઈ બ્યુનોએ લાભ લીધો હતો. સુદ ૭ ના દિવસે થરાદના સંઘવી ગગલદાસ હાલચંદભાઈ તરફથી તેમને ત્યાં થયેલ તપસ્યાઓ નિમિત્તે અપૂર્વ ભક્તામર પૂજન ભણાવવામાં આવ્યું અને સુદ-૮ તા.૨૮-૯-૯૦ના દિવસે તપસ્વીઓનો ભવ્ય વરવો નીકયો. અનેક પ્રકારનાં શણગારેલ વાહનોમાં તપસ્વીઓ બેઠા હતા. ચાંદીના ભવ્ય રથમાં ભગવાનની પ્રતિમા લઈ અમુક તપસ્વીઓ બેઠા હતા. બેન્ડ ઢોલ નગારાં શરણાઈના સુરો સાથે પૂ. ગુરુદેવ શ્રીમદ્દવિજય જયંતસેનસૂરીશ્વરજી તેમના શિષ્ય પરિવાર સાથે તેમજ પૂ. સાધ્વીજી સમુદાય આ વરઘોડાની કલગી રૂપ ચાલી રહ્યા હતા. અને આવી ભવ્ય રીતે અમદાવાદના આંગણે અનેક પ્રકારનાં તપ કરાવી પપણ મહાપર્વની પૂર્ણતિ થઈ પણ ચાનુસિ તો ચાલુ હતું, નવા ધર્મકાર્યોની યોજનાઓ થઈ રહી હતી. ૨૩ – અષ્ઠાનિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આસો માસમાં નવપદની શાશ્વતી ઓળી કરાવવાની હતી. આ પર્યુષણ મદ્યપર્વની ઉજવણી માટે થરાદ-ડીસા-પાલનુપરમહેસાણા, કલોલ, હિંમતનગર, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી અને મુંબઈથી અનેક પ્રકારનાં તપનાં પચ્ચક્ખાણ લઈને પણ ઘણા તપસ્વીઓ અમદાવાદ આવ્યા હતા અને એટલેજ અમદાવાદના દરેક માર્ગો ઉપર થરાદવાસીઓ જ દેખાતા હતા. For Private & Personal Use Only अहंकार से बढे तरु, फले आवत झुक जाय । जयन्तसेन नम्र बनो, जीवन भर सुख पाय ॥ www.jainelibrary.org
SR No.012046
Book TitleJayantsensuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorSurendra Lodha
PublisherJayantsensuri Abhinandan Granth Prakashan Samiti
Publication Year1991
Total Pages344
LanguageHindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy