SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ evend-Modh roditosh otoshootectosest testost of tooted showedest-sistest statute tb [1831 તિશયનું પ્રદર્શન છે. પ્રસ્તુત અટકમાં સંભવનાથના વંશનું નામ “ઈદ વાકુ અને એમની માતાનું નામ “સેના” રજૂ કરાયાં છે. ત્રીજા પદ્યમાં એમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે અને સાતમાં પદ્યમાં એમના દાંત “કન્દ પુષ્પ જેવા છે અને નેત્રે કમળનાં સમાન છે એવા ઉલ્લેખ છે. જ્યારે પ્રથમ પદ્યમાં એમના દેહને વર્ણ ચમકતા સુવર્ણ જેવો કહ્યો છે અને એમના લાંછન તરીકે ઘોડાને નિર્દેશ છે. આ અષ્ટક વિવિધ રૂપકોથી અલંકૃત છે. તેમાં દુઃખ રૂ૫ સમુદ્ર પ્રત્યે પીતસમુદ્ર અને અગત્યનું રૂપક નેંધપાત્ર છે, કેમ કે અગત્ય ઋષિએ સમુદ્રનું પાન કર્યાની વાત અજૈન મતાનુસાર છે. આ રૂપક કલ્યાણસાગરસૂરિએ અન્ય કૃતિઓમાં પણ વાપર્યું છે. તે કવિ સમયને આભારી ગણાય. (૪-૩) સિતેરતપુરીય મુવિધિનાથ સ્તવન : આ સ્તવનની કૃતિ બધી કૃતિઓમાં સૌથી નાની છે. એમાં છ પદ્ય છે. એ પિકી પહેલાં પાંચ કુતવિલંબિત છંદમાં છે. જ્યારે અંતિમ છટું પદ્ય અનુષ્મભૂમાં છે. આ કૃતિ સિતેતરપુરના સુવિધિનાથને લગતી છે. એનાં શરૂઆતના પાંચ પાનું પ્રત્યેક ચરણ “સુવિધિનાથ જિન છે. એના શ્લોક ૩ માં સુવિધિનાથને રજત (ચાંદી) જેવા કાંતિવાળા અને મગર રૂપ લાંછનવાળા વર્ણવ્યા છે. છઠ્ઠા પદ્યમાં સુવિધિનાથને નવમા જિન તીર્થકર કહ્યા છે. અંતિમ પદ્યમાં કર્તાએ પિતાને “કલ્યાણસૂરિ' તરીકે ઉલ્લેખ કર્યો છે. આમ આ જ કૃતિમાં સૂરિ પદવીને કર્તાએ નિર્દેશ કર્યો છે. એ હિસાબે આ કૃતિ વિ. સં. ૧૬૪૯ થી વિ. સં. ૧૭૧૮ ના ગાળામાં રચાયેલી ગણાય. સિતેતરપુર કયું તે સ્પષ્ટ જાણવામાં આવ્યું નથી. (૫-૪) શાંતિનાથ વ : આ સ્તોત્રમાં ૧૩ પદ્યો છે. તેમાં પહેલાં બાર કુલક રૂપ છે. એ બારે કુતવિલંબિત છંદમાં છે, જ્યારે તેરમું પદ્ય માલિની છંદમાં છે. પ્રથમ પદ્યમાં શાંતિનાથનાં નેત્ર કમળ જેવાં કહ્યાં છે. તૃતીય પદ્યમાં એમનાં ચરણે. વિવિધ લક્ષણોથી યુક્ત છે અને એમની ગતિ ચંચળ અને મદોન્મત્ત હાથી જેવી છે એમ કથન છે. છઠ્ઠા પદ્યમાં એવા ઉલ્લેખ છે કે એમના દાંત કુસુમ જેવા છે અને પોતાના બાહુબળથી એમણે રાષ્ટ્ર સાધેલ છે, શત્રુને જીત્યા છે તથા રાજાઓને નમાવ્યા છે. આઠમા ‘પદ્યમાં એમનો વર્ણ સુવર્ણ જેવા અને એમનાં ચરણ હરણના ચિહ્નથી અંક્તિ છે એ માં શ્રી આર્ય કયાણ ગૉતમ સ્મૃતિ ગ્રંથ (3) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy