________________
દિગંબર માન્યતાથી એવું વિધાન શ્રી પૂજ્યપાદસ્વામીના આ શ્લોકમાં જોવા છે.
___ जातिलिंग विकल्पेन येषां च समयाग्रह :
तेऽपि न प्राप्नुवन्त्येव परमंपदमात्मनः।।८९।। ઉપાધ્યાયજી દોહામાં કહે છે
જાતિલિંગ કે પક્ષમૅજિનકું હૈ દઢરાગ,
મોહજાલમેં સો પરે ન લહે શિવસુખભાગ-૭૩ મોક્ષપ્રાપ્તિમાં દ્રવ્યલિંગની અમુખ્યતા અને ભાવલિંગની મુખ્યતા છે તે દર્શાવતાં આગળ કહ્યું
ભાવલિંગ જાતે ભયે સિદ્ધ પન્નરસ ભેદ,
તાતે આતમકું નહિ લિંગ, ન જાતિ, ન વેદ-૭૫ પંદર ભેદે સિદ્ધ થાય છે તે ભાવલિંગના આશ્રયથી તેની સ્પષ્ટતા શ્રી પૂજ્યવાદ સ્વામીના ઉપરોકત શ્લોક નો વિસ્તાર કરતાં કરવામાં આવી છે. શુષ્કજ્ઞાનની નિરર્થકતા દર્શાવતાં કહે છે
પઢી પાર કહાં પાવનો, મિથ્થો ન મનકો માર,
ન્યું કોલ્કે બૈલકું, ઘર હી કોસ હજાર-૭૯ ઘાણીનો બળદ આખો દિવસ હજારો ગાઉ ચાલે છે છતાં તે ઘરમાં ને ઘરમાં જ ફર્યા કરે છે. તે રીતે મનના સંકલ્પ-વિકલ્પ ટળે નહિ તો જ્ઞાન નિષ્ફળ છે. પરમાત્માના ધ્યાનથી પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે, એમ જણાવતાં કહ્યું છે
સેવત પર પરમાતમા, લહે ભવિક રસરૂપ,
બતિયાં સેવત જ્યોતિકું, હોવત જ્યોતિ સ્વરૂપ-૮૧ જેમ દીવાની વાટ જ્યોતિને ગ્રહણ કરી પોતે જ્યોતિ સ્વરૂપ થાય છે તે જ રીતે પરમાત્મા ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે.
જે રીતે સ્વપ્નદશામાં સુખના નાશથી લોકો દુઃખ અનુભવતા નથી તે રીતે જાગૃતદશામાં સુખના નાશથી જ્ઞાનીને શોક થતો નથી. - એમ કહીને પરમાર્થ માર્ગમાં દુઃખની ઉપકારકતા દર્શાવવામાં આવી છે. જેમ રગમાં લડતો યોધ્ધો બાગના પ્રહારને ગણતો નથી. વ્યાપારી વ્યાપારમાં કષ્ટોને કષ્ટરૂ૫ માનતો નથી. તેમ મુનિ પણ પરમાર્થમાર્ગમાં દુઃખને દુઃખ માનતા નથી. દુઃખ સહન કરવાથી જ્ઞાન અને ચારિત્રનો દૃઢભાવ થાય છે. જુઓ
શ્રી વિજયાનંદ મરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org