________________
उवज्झायनमुक्कारो जीवं मोएई भवसहस्साओ।
भावेण कीरमाणो होई पुणो बोहिलाभाए। उवज्झायनमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं। हियअं अणुम्मुयं तो विसोत्तियावारओ होई॥ उवज्झायनमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति। जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरई बहुसो॥
उवज्झायनमुक्कारो सव्यपावप्पणासणो।
मंगलाणं च सव्वेसिं पढम हवई मंगलं ।। (૧) ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. વળી ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો બોધિલાભને માટે થાય છે. (૨) ઉપાધ્યાય ભગવંતને કરેલો નમસ્કાર ધન્ય માણસોને માટે ભવક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં અનુસ્મરણ કરાતો નમસ્કાર અપધ્યાનને નિવારનારો થાય છે. (૩) ઉપાધ્યાય ભગવંતને કરાતો નમસ્કાર મહાન અર્થવાળો હોય છે એવું વર્ણવવામાં આવે છે તથા મૃત્યુ પાસે આવ્યું હોય ત્યારે તે નમસ્કાર બહુ વાર કરાય છે. (૪) ઉપાધ્યાય ભગવંતને કરાયેલો નમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. શ્રી પાલ રાસના ચોથા ખંડમાં ઉપાધ્યાય ભગવંત વિશે વળી કહેવાયું છે
બાવના ચંદન સમ રસવયોગે, અહિત તાપ સવિટાળે, તે ઉવઝાય નમીજે જે વલી,
જિનશાસન અજુઆલે રે. ( જેઓ બાવનાચંદનના રસ જેવાં પોતાનાં શીતળ રસવચનો વડે લોકોના અહિતરૂપી સઘળા તાપને ટાળે છે તથા જેઓ જિનશાસનને અજવાળે છે તેવા ઉપાધ્યાય ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરો.)
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નવપદની પૂજા માં ઉપાધ્યાયપદની પૂજામાં રત્નશેખરસૂરિએ સિરિ સિરિવાલ કહા માં લખેલી ગાથા આદ્યકાવ્ય તરીકે નીચે પ્રમાણે આપે છે
सुत्तत्थवित्थारणतप्पराणं, नमो नमो वायगकुंजराणं।
गणस्स साधारण सारयाणं सव्वक्खणा वज्जियमंथराणं ॥ સૂત્રાર્થનો વિસ્તાર કરવામાં તત્પર અને વાચકમાં કુંજર (હાથી) સમાન ઉપાધ્યાય મહારાજને નમસ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપાધ્યાય મહારાજ સૂત્ર અને તેના અર્થના વિસ્તાર કરીને
૧૫૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org