________________
અર્થાત પ્રમાદી માણસ વનમાં પણ ભયભીત રહે છે, કારણ કે ત્યાં પણ રાગ દ્વેષ વગેરે છે શત્રુઓ એનો પીછો છોડતા નથી. પરંતુ જે જિતેન્દ્રિય અને આત્મસંતુષ્ટ છે ગૃહસ્થાશ્રમ પણ તેનું શું બગાડવાનો હતો ? અર્થાત જિતેન્દ્રિય અનાસકત વ્યક્તિ ગમે ત્યાં હોય, સુરક્ષિત રહે છે. અપ્રમાદ કવચ સમાન છે.
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महारिपुः। नास्त्युद्यमसमो बन्धु : यं कृत्वा नावसीदति
(નીતિશતક ૮૭) અર્થાત્ માનવીનાં શરીરમાં છુપાઈને રહેલો મહાન શત્રુ આળસ છે. અને શરીરમાં જ રહેતો ઉત્તમ સજ્જન છે ઉદ્યમ. જે ઉદ્યમને કર્યા કરે છે તેને ધર્મ સમ કોઈ બંધુ નથી. તે હંમેશાં સુરક્ષિત હોય
છે.
અપ્રમાદ એ સતત સાધના માગી લે છે એક પળે માણસ જાગતો હોય, બીજી પળે એને ઝોકું પણ આવી શકે, એટલે અત્યંત સાવધ અને જાગૃત રહેવું પડે છે. અને દરેક ક્રિયા ચર્ચા જાગરૂકતાપૂર્વક કરવી પડે જેથી પાપકર્મ ન બંધાય. દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં એનો સુંદર વિસ્તાર કરી સમજ આપી છે.
અજય ચરમાણો ય પાણભૂયાઈ હિંસઈ બંધઈ પાવયં કમ્મ, હોઈ કયું ફલ (૧)
અર્થાત્ અન્ના-અનુપયોગથી ચાલતાં પ્રાણીભૂતોથી જુદી જુદી જાતના જીવોની હિંસા થાય છે. અને તેનાથી પાપકર્મ બંધાય છે અને તેનું કડવું ફળ નીપજે છે, જે ભોગવવું પડે છે.
અજય ચરમાણો અત્નાથી ચાલવાથી અજય - અસાવધાની, અજાગૃતિ, પ્રમાદ કે અસંયમ કે અવિચારથી ક્રિયામાં પ્રવૃત્ત થવું. અજય ચિઠમાણો : અનાથી ઊભા રહેવાથી અજય આસમાગો : અયત્નાપૂર્વક બેસવાથી. અજય સયમાણો અત્નાપૂર્વક સૂવાથી અજય ભૂજમાણો અત્નાપૂર્વક ભોજન કરવાથી અજય ભાસમાણ અનાથી વગર વિચાર્યુ બોલવાથી. એકથી છ શ્લોકો સુધીમાં તમામ શારીરિક આવશ્યક ક્રિયાઓ આવરી લેવાઈ છે.
અપમાદ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org