________________
‘ણમો આયરિયાણં, પદથી સર્વ આચાર્ય ભગવંતોને,
‘ણમો સિદ્ધાણં, પદથી સર્વ સિદ્ધ પરમાત્મ્ય ભગવંતોને અને
‘ણમો અરિહંતાણં’ પદથી સર્વ અરિહંત પરમાત્મ્ય ભગવંતોને નમસ્કાર કરવામાં આવેલ છે.
આ પાંચે પદો અંતઃ કરણમાં ભાવરૂપ છે. અંતઃ આંતરિક- અંદરમાં આપણા મતિજ્ઞાનના ઉપયોગરૂપ સાધન (કરણ) જે આપણાથી અભેદ છે તે અંતઃ કરણ છે. અંતઃ કરણ એટલે કરણના ભેદોમાં અંતિમ કરણ-અંતિમ સાધન, જેનાથી આગળ, સાધન અર્થમાં કોઈ કરણ નથી. તેની પૂર્વમાં અને સાથે ઉપકરણ અને કરણ છે, જે અંતઃ કરણની શુદ્ધિ માટે સહાયક અને પૂરક સાધન છે. જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ થયેથી, સર્વ સાધનોથી જીવ પર થઈ જાય છે. એ અપેક્ષાએ સર્વ સાધનનો અંત કરનાર જે કરણ છે તે અંતઃ કરણ છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મામાં, પરમાત્મ તત્ત્વની પૂર્ણતા વડે તેઓ સાધન અને સાધનાથી પર છે. એ અર્થમાં અંતઃ કરણનો આ રહસ્યમય અર્થ છે ઃ
આ પાંચ, સહુ કોઈને પરમ ઈષ્ટ છે. તેથી તે પાંચને પાંચ પરમેષ્ઠિ તરીકે ઓળખાવેલ છે. સ્વરૂપમંત્ર-નમસ્કારમંત્ર-નવકારમંત્ર દ્વારા, તે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં કરતાં, ‘અરિહત' માંથી અરિહંત બનવાનું છે. અસિદ્ધમાંથી સિદ્ધ થવાનું છે. જે માટે દુર્જન મટી સજ્જન અને દુષ્ટ મટી સાધુ બનવાનું છે અભણ-અબુઝ-ગમાર ‘અજ્ઞાની' અભાન મટી જઈ સભાન સચેત-જ્ઞાની પાઠક ઉપાધ્યાય થવાનું છે અને આગળ ઉપર પંચાચાર પાલન કરનાર આચાર યુક્ત આચાર્ય એવાં સર્વોચ્ય સાધક બનવાનું છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલનને પંચાચાર પાલન કહે છે.
અજ્ઞાની છીએ એટલે જ દુરાચારી-અનાચારી છીએ અને તેથી જ દુષ્ટ દુર્જન છીએ, દુર્જન છીએ, તેથી દુશ્મનો છે, માટે અરિહત છીએ. અને અગાઉ જણાવ્યા મુજબ અરિહત હોય તે અસિદ્ધ જ હોય ! અરિહન્ત એ સત્ય સ્વરૂપનામ છે. અરિહત એ અસત્ય અને વિરૂપ નામ છે. જીવના આંતરિક આધ્યાત્મિક સાચા નામ પાંચ છે.
(૧) અરિહન્ત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. પ્રથમ બે નામ સાધ્ય અવસ્થાના છે અને પછીનાં ત્રણ નામ સાધક અવસ્થાના છે. આ નામથી તેઓને નમસ્કાર કરવાથી અને તે મુજબ બનવાથી તે જીવન જીવવાથી અરિહન્ત અને સિદ્ધ સ્વયં બની શકાય છે.
જગતમાં આધ્યાત્મ શાસ્ત્ર સમજાવનારા મહાન છે. એટલે જ પંચપરમેષ્ઠિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને સ્થાન મળેલ છે. તેઓ ઉચ્ચતમ એવાં પરમાત્મા સાથે સંબંધ કરી સાચું ચારિત્રયુકત જીવન જીવનારા છે. ઉચ્ચતમ એવાં પરમાત્મા સાથે સંબંધ અનુભવ કર્યા પછી પદવી ઉપર અવાય. પરમાત્મા કે પરમાત્મતત્ત્વ સાથે સંબંધ કર્યા વિના, સદ્વિચાર, સર્તન સત્યજ્ઞાન આવતું નથી. પરમાત્મતત્ત્વ સાથે સંબંધ રાખીને, જગત સમક્ષ આવનાર જ, લોકોનો પરમાત્મા સાથે સંબંધ
૮૨
Jain Education International
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org