________________
પ્રત્યેક પદની આરાધના જીવમાંથી શિવ થવા માટે દીવાદાંડી સમાન છે આત્માના સહજ સ્વરૂપને પામવા માટે આલંબન રૂપ છે. તેમાં પૂર્વે કહેલાં નવપદનો પણ નિર્દેશ થયેલો છે. વીસ સ્થાનકપૂજા એટલે રત્નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય કરાવતી જ્ઞાન અને ભક્તિના સંયોગ વાળી અપૂર્વ કાવ્ય રચના છે.
પૂજાના પ્રારંભમાં વિશેષણયુકત શંખેશ્વર પાર્શ્વનાથ ની સ્તુતિ કરી છે.
સમરસ રસભર અઘહર, કરમ ભરમ સળનાસ, કર મન મગન ધરમ ધર, શ્રી શંખેશ્વર પાસ ।। ૧ ।।
કવિએ બીજા દુહામાં જિનવાણીનો મહિમા દર્શાવ્યો છે :વસ્તુ સકલ, પ્રકાશિની ભાસિનિ ચિઘનરૂપ, સ્યાદ્વાદ મત કાશિની જિનવાણી રસકૂપ ॥ ૨ ॥
દુહા
. જેવી સામાન્ય રચનામાં પણ કવિની વર્ણની લયબધ્ધ યોજના આકર્ષક બની રહે છે. જૈન કવિઓએ દેશીઓનો વિશેષ પ્રયોગ કરીને કાવ્યો રચ્યાં છે. તેમાં રહેલો વિશિષ્ટ લય-તાલ અને સમુહમાં ગાઈ શકાય તેવી લાક્ષણિકતાથી દેશી વધુ પ્રચાર પામી હતી. કવિએ નીચે મુજબની દેશીઓનો પ્રયોગ કર્યો છે.
કાન્હામે નહિ રહેણા રે, તુમચે સંગ ચલું ।
વીતરાગકો દેખ દરસ, દુવિધા મોરી મિટ ગઈ રે ।।
લાગી લગન કહો કેસે છૂટે, પ્રાણજીવન પ્રભુ પ્યારે એ નિશદિન જોવું વાટડી ઘેર આવો ઢોલા ।
માનોને ચેતનજી, મારી વાત માનોને
આ દેશીઓ ઉપરાંત ઠુમરી, પંજાબી, દીપચંદી, લાવણી, ત્રિતાલ અને અજમેરી તાલનો પ્રયોગ કરીને સમગ્ર પૂજાની રચના સંગીત અને કવિતાનો સમન્વય સાધે છે. પ્રત્યેક પૂજામાં તે પદની શાસ્ત્રોકત માહિતી આપીને આરાધના કરવાનો ભાવ વ્યક્ત કર્યાં છે. અષ્ટપ્રકારી પૂજાની માફક અહીં પણ તપના આરાધક આત્માનાં દષ્ટાંત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા.ત. પાંચમા સ્થવિર પદની આરાધના માટે પ્રશ્નોત્તર રાજાનો નામ નિર્દેશ કર્યો છે.
પ્રશ્નોતર નૃપ ઈહદ સેવી, આત્મ અરિહંત પદ વતિપારે
વીસ સ્થાનકની પૂજાને આધારે કવિની શાસ્ત્ર જ્ઞાનની તલસ્પર્શી સમજ શક્તિ અને જ્ઞાનમય આત્મસ્મરણતાનો વિસ્તારથી પરિચય થાય છે. આવો ઉલ્લેખ મનુષ્યને ચેતન નામથી ઉદ્બોધન
આત્મારામજીનું પજા સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
૭૩
www.jainelibrary.org