________________
વિદ્વાનોનાં વદન નિરખી નિત્ય આનંદ પામે, ગ્રંથો દેખી અભિનવ ઘણો હર્ષ જે ચિત્ત જામે, તત્ત્વો જાણી જિનમત તથા જ્ઞાનદષ્ટિ પ્રકાશે,
તે શ્રી વૃદ્ધિવિજય ગુરુને કેમ ભૂલી જવાશે ? વૃદ્ધિચંદ્રજીના પ્રશિષ કાશીવાળા શ્રી વિજયધર્મસૂરિએ સ્તુતિરૂપ અટકની રચના સંસ્કૃત શ્લોકમાં કરી છે. એની વિશિષ્ટતા એ છે કે એમણે પ્રથમ સાત શ્લોકમાં પ્રત્યેકમાં પ્રથમ ચરણમાં પહેલો શબ્દ બેવડાવ્યો છે, જેમકે વારંવારં, પર્વ પર્વ, સાચું કાર્ય ઈત્યાદિ તથા તે પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ નીચે પ્રમાણે એકસરખું જ રાખ્યું છે :
__ स्वर्गस्थौऽसौ विलसति सुखं मदगुरुर्वृद्धिचन्द्र ः। પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. શ્રી વિજયનંદસૂરિએ સંસ્કૃત પદ્યમાં શ્રી વૃદ્ધિસ્તોત્રમ્ નામના કાવ્યની દસ શ્લોકમાં રચના કરી છે, જેમાંના પ્રથમ આઠ શ્લોકનું અંતિમ ચરણ તુવે કોદં ધ્યાનો એ પ્રમાણે રાખ્યું છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉત્તમ ગુણોનો મહિમા ગાતા આ સ્તોત્રના આરંભના શ્લોકમાં તેઓ કહે છે
सदा स्मर्या संडख्या स्खलित गुणं संस्मारित युगप्रधानं पीयूषोपममधुर वाचं व्रतिधुरम् । विवेकाद्दिज्ञातस्व परसमयाशेष विषयं
स्तुवे सोऽहं ध्यानोल्लसितहृदयं बृद्धिविजयम्॥ (સદા સ્મરણ કરવાલાયક, અસંખ્ય અને અખલિત ગુણો વડે યુગપ્રધાનનું સ્મરણ કરાવનાર, અમૃત સમાન મીઠી વાણીવાળા, મુનિઓમાં અગ્રેસર, સ્વરૂપ સિદ્ધાંતના સર્વ વિષયોને વિવેકથી જાણનાર અને ધ્યાનમાં (અથવા તે જ હું છું એવા ધ્યાનમાં) ઉલ્લસિત હૃદયવાળા શ્રી વૃદ્ધિવિજયની હું સ્તુતિ કરું છું.)
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની યશોજ્જવલ ગાથાનું જેમ જેમ પાન કરીએ છીએ તેમ તેમ તેમના પ્રત્યે મસ્તક વધુ ને વધુ નમે છે.
વ
.
૫૦ * :
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org