________________
સાધુઓને તૈયાર કરવા જોઈએ. એ જો થાય તો આપોઆપ શ્રાવકોનો આચાર સુધરી જશે. અત્યારે ચારે બાજુ અંધારું છે. માટે યોગ્ય પાત્ર જોઇને એમને સંયમના માર્ગે વાળવા જોઇએ. એ કામ તું બહું સારી રીતે કરી શકે એમ છે, કારણ કે તારી પાસે ધર્માનુરાગી ભક્તો ઘણા આવે છે.'
બુટેરાયજી મહારાજની આ વાત મૂળચંદજી મહારાજના મનમાં વસી ગઈ. એમણે નિશ્ચય કર્યો કે યોગ્ય પાત્રોને શોધીને દીક્ષા આપીને સંવેગી સાધુઓની સંખ્યા વધારવી જોઇશે. એ કામ એમણે હોંશભેર ઉપાડી લીધું.
બટેરાયજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે છ ચાતુર્માસ કર્યો. તે સમય દરમિયાન તેમણે શાસ્ત્રીય અધ્યયન સારી રીતે કર્યું. ભાવનગરમાં હતા ત્યારે ૪૫ આગમોનો પંચાંગી સહિત અભ્યાસ કરી લીધો હતો. અમદાવાદના અને ભાવનગરના સંઘોએ એમને માટે પંડિતોની વ્યવસ્થા કરી આપી હતી. તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ પાસે એમણે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, લક્ષ્મી સૂરિ, વિનયવિજયજી ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમાં યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોએ એમને બહુ પ્રભાવિત કર્યા. એમાં તર્ક અને ન્યાયયુકત એ ગ્રંથોના અભ્યાસથી એમની દષ્ટિ ખૂલી ગઇ. એમની શ્રદ્ધા અડગ થઇ ગઇ. એમણે પોતે જ પોતાના આત્મકથનમાં લખ્યું છે : “उपाध्यायजीके ग्रंथोंकी रचना देखके मेरेको परम उपकारी उत्तम पुरुष दीसे है, तत्त्व तो केवलज्ञानी जाणे! मेरेको महाराजजी इस भवमें मिले नथी। परभवका संबन्ध तो ज्ञानी મિન તવ પુછયું .......પિur મેર સરથા તો શ્રી નવિનયન સાથ ઘort fમત્તે હૈ
પંજાબથી નીકળ્યાને મહારાજશ્રીને ઘણાં વર્ષ થઈ ગયાં હતા. રેલવે કે તારટપાલ વગરના એ દિવસોમાં પંજાબના રામનગર, જમ્મ, ગુજરાનવાલા વગેરે શહેરોમાંથી એમના ભક્તો પંજાબ પધારવા માટે જતા-આવતા મુસાફરો સાથે વિનંતીપત્ર મોકલતા. આથી સં. ૧૯૧૮માં અમદાવાદમાં ચાતુર્માસ કરી બુટેરાયજી મહારાજે પંજાબ તરફ વિહાર કર્યો. પાલી અને દિલ્હી ચાતુર્માસ કરી તેઓ પંજાબમાં પતિયાલા, અમૃતસર વગેરે સ્થળે વિચર્યા અને લોકોને બોધ આપ્યો. હવે મુહપત્તી અને પ્રતિમાપૂજનની ચર્ચા કરવાની એમની ભાવના ન હતી. પરંતુ અમરસિંહના શ્રાવકોએ ૧૯૨૩માં ફરી ચર્ચા ઉપાડી. શાસ્ત્રાર્થ કરવા માટે બુટેરાયજીને પડકાર કર્યો. એમણે એ પડકાર ઝીલી લીધો. એમના દેવીસહાય નામના શ્રાવકભકતે સામેવાળા સાથે શરત કરી કે શાસ્ત્રાર્થ કરવામાં સાક્ષી તરીકે તટસ્થ પંડિતો પણ રાખવા પડશે, અને તોફાન ન થાય એટલા માટે બેચાર સિપાઇઓ પણ રાખવા પડશે. પરંતુ અમરસિંહ એક અથવા બીજું બહાનું કાઢી શાસ્ત્રાર્થ કરવાનું ટાળ્યું. અમરસિંહના શ્રાવક ભકતોએ પણ એમને ચર્ચા ટાળવાનું અને ખમતખામણાં કરી લેવાનું સમજાવ્યું. એ જાણી બુટેરાયજી અમરસિંહજી પાસે
૧૮
શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org