________________
૨૫૪૩
૪૬. શ્રી પ્રસન્નચંદ્રસૂરિ
તેમના સમયમાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો અને
ફરી શિથિલાચારની શરૂઆત થઈ. ૪૭, શ્રી ગુણસમુદ્રસૂરિ ૪૮, શ્રી જયશેખરસૂરિ
એમણે ક્રિયોદ્ધાર કર્યો. બાર ગોત્રને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા. નાની ઉંમરમાં જ એમને ચૌહાણ રાયહમીર તરફથી “કવિરાજ' બિરૂદ
મળેલું. સં. ૧૩૦૧માં આચાર્યપદ. ૪૯. શ્રી વજસેનસૂરિ (બીજા)
આચાર્યપદ સં. ૧૩૫૪. “લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', “ગુરુગુણષત્રિશિકા' વગેરે ગ્રંથો રચ્યા છે. સારંગદેવ, રાણા સીહડ, બાદશાહ અલાઉદ્દીન વગેરેને ઘર્મબોધ આપનાર આચાર્યશ્રીને
દેશના જળઘર” એવું બિરૂદ મળેલું. ૫૦. શ્રી હેમતિલકસૂરિ ૫૧. શ્રી રત્નશેખરસૂરિ
પ્રસિદ્ધ ‘સિરિસિરિવાલ કહા'ના રચયિતા તરીકે આ સૂરિવર જૈનજગતમાં સુવિખ્યાત છે. સંબોધસિત્તરિ’, ‘ગુણસ્થાનક્રમારોહ વગેરે અતિ ઉપયોગી ગ્રંથરચના એમણે કરી છે. આચાર્યપદ
સં. ૧૪00. પર. શ્રી હેમચંદ્રસૂરિ ૫૩. શ્રી પૂર્ણચંદ્રસૂરિ આચાર્ય પદ સં. ૧૪૨૪ ૫૪. શ્રી હેમહંસસૂરિ
કહેવાય છે કે આ આચાર્યશ્રીએ પ000 જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય પદ સં. ૧૪૫૩. એમના જીવનકાળ પછી પુનઃ
શિથિલાચારનો પ્રારંભ થયો. ૫૫, શ્રી લક્ષ્મીનિવાસસૂરિ
એમની શિષ્ય પરંપરામાં શ્રી પાર્શચંદ્રસૂરિ થયા. શ્રી હેમહંસસૂરિના બીજા શિષ્ય શ્રી હેમસમુદ્રસૂરિ
હતા, જેમની પરંપરા નાગોરી બૃહતપાગચ્છની સંઘસૌરભ
એક શાખારૂપે ઘણા સમય સુધી ચાલતી રહી. આ શાખાની પટ્ટાવલી નીચે મુજબ છે : શ્રી હેમસમુદ્રસૂરિ -શ્રી હેમરત્ન સૂરિ – શ્રી સોમરત્નસૂરિ - શ્રી રાજરત્નસૂરિ – શ્રી ચંદ્રકીર્તિસૂરિ – શ્રી હર્ષકીર્તિસૂરિ. શ્રી હર્ષકીર્તિસૂરિએ સારસ્વત વ્યાકરણની ટીકા, યોગચિંતામણિ, સતસ્મરણ ટીકા આદિ ગ્રંથો
રચ્યા છે. ૫૬. શ્રી પુણ્યરત્ન પંન્યાસ પ૭, શ્રી સાધુરત્ન પન્યાસ ૫૮. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ
જન્મ સં. ૧૫૩૭, હમીરપુર. દીક્ષા સં. . સ્વર્ગવાસ સં. ૧૬૧૨, જોધપુર. સાધુ સંસ્થામાં પ્રવર્તી રહેલ શિથિલાચારના ઉન્મેલન માટે ઉગ્ર આંદોલન કરનારા આ આચાર્યશ્રી અનેક વિશિષ્ટતાઓ ધરાવતા હતા. બાવીસ ગોત્રને જૈન ધર્મના અનુયાયી કર્યા હતા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં રચેલા શતાધિક ગ્રંથો એમની વિદ્વત્તાની શાખ પૂરે છે. એમના સમય પછી “નાગોરી તપગચ્છને જનતાએ “પાર્થચંદ્રગચ્છના નામે
સંબોધવા માંડચો. ૫૯, શ્રી અમરચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૦૪ ૬૦. શ્રી રાજચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૨૬ ૬૧. શ્રી વિમલચંદ્રસૂરિ
આચાર્યપદ સં. ૧૬૬૯. એમના શિષ્ય શ્રી પૂજાઋષિ અદ્ભુત તપસ્વી હતા. એમણે પોતાના જીવનમાં કુલ ૧૧૩૨ ૧ ઉપવાસ કર્યા હતા એવો ઉલ્લેખ છે. એમની પ્રશંસારૂપે ખરતરગચ્છીય શ્રી સમયસુંદર ગણિએ “પૂજા-ઋષિ રાસ રચ્યો
છે.
૬૨. શ્રી જયચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૭૪. ૬૩. શ્રી પદ્મચંદ્રસૂરિ આચાર્યપદ સં. ૧૬૯૯ ૬૪. શ્રી મુનિચંદ્રસૂરિ (બીજા)
૨ ૧૧ - www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only