________________
હરિવલ્લભ ભાયાણી
૯
‘દેશીનામમાલા'ની ઉપયોગમાં ન લેવાઈ હ।ઈ તેવી એક પ્રાચીન વ્રત તા આપણી જાણમાં છે જ. તેવી અન્ય હસ્તપ્રત સામગ્રીની તપાસ કરીને શકચ તેટલી પાશુદ્ધિ કરવી ઘટે.
ખીજુ, દેશીનામમાલા ઉપર કામ કરવાના મારા ઘેાડાક અનુભવ પરથી મને એ પ્રતીત થયું છે કે અનેક શબ્દોના ધ્વનિસ્વરૂપ અને અને ચાક્કસ કે સ્પષ્ટ કરવા માટે અર્વાચીન ભારતીય-આ ભાષાઓ — ગુજરાતી, રાજસ્થાની, હિન્દી, સિન્ધી, પજાબી, મરાઠી, કુમાઉની, નેપાલી વગેરે – પાસેથી પણ સારી એવી મદદ મળે તેમ છે. આ દિશામાં કાર્યોં કરવા માટે ધણે! અવકાશ છે.
ત્રીજુ, શબ્દ અને અર્થાની ખાખતમાં દેશીનામમાલા'માં ઠીક ઠીક પુનરાવત ન મળે છે. સહેજસાજ ભિન્નતા મળતી હેાય તેવા શબ્દ અને અર્થો – ખરેખર તા તે અભિન્ન હેાય – હેમચન્દ્ર, પોતાના મૂળ સ્રોતામાં મતભેદ હૈાય ત્યારે અને નિણૅય કરવાનુ કઠણ લાગ્યું ત્યારે તે અલગ અલગ હાય તેમ માંધ્યા છે. આની કેટલીક સાફી મેં મારા Studies in Hemacandra's Des[nāmamala'માં કરી છે. પણ એ તા એક શરૂઆત છે. કામ ધણું મેાટુ' છે અને ઠીક ઠીક પરિશ્રમ માગી લે તેવું છે. લગભગ ચાર હજાર જેટલા શબ્દો અને તેથી બમણા અર્થાની ખણખાદ કરવાની છે. પરંતુ ભારતીય – આર્ય ના શબ્દભડાળના ઇતિહાસની દૃષ્ટિએ તથા સાહિત્યભાષા લેખે પ્રાકૃતના ઘડતરની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે.
આ ઉપરાંત એક મહત્ત્વનું કાર્યં તે પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાંથી વસ્તુતઃ વપરાયેલા દેશ્ય શબ્દને તારવીને ‘દેશનામમાલા'ની સામગ્રીની શુદ્ધિવૃદ્ધિ કે સમર્થન કે પ્રમાણીકરણ કરવું. આ દિશામાં પણ આરંભ થયા છે. ‘પાઈઅસદ્દમહષ્ણુવા માંથી થેાડીક સમર્થક સામગ્રી પ્રાપ્ત થાય છે, પંડિત અમૃતલાલ ભાજકે પ્રાકૃત ટેક્સ્ટ સેાસાયટીના થાડાક પ્રથામાં પરિશિષ્ટરૂપે કેટલાક દૃશ્ય શબ્દા તારવીને મુકવા છે. રત્ના શ્રીયાને પુષ્પદંતની અપભ્રંશ કૃતિમાંથી અને મેં સ્વયંભૂના ‘પઉમચરિય'માંથી દેશ્ય શબ્દો તારવીને હેમચંદ્રના દેશ્ય શબ્દો સાથે તુલના કરી છે. પશુ ચિકિત્સક દૃષ્ટિએ આ દિશામાં 'વસુદેવ`િડી' ‘ કુવલયમાલા' વગેરે જેવી અનેકાનેક કૃતિઓનું અધ્યયન થવુ. બાકી છે, ગુજરાતી વગેરે અર્વાચીન ભાષાઅેમાં આ દૃશ્ય શબ્દોના કૈટલો અંશ ઊતરી આવ્યા છે એ પણ તપાસને સ્વત ંત્ર વિષય છે.
પૉંડિતજીની અખ`ડ દીપ જેવી વિદ્યાપ્રીતિ અને કાર્ય નિષ્ઠામાંથી પ્રેરણા મેળવીને આપણે તેમણે કરેલાં કામે આગળ ચલાવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org