SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વ્યાકરણે આ ત્રણેય ગ્રંથમાં શબ્દસૂર્ચા અને અમુક ગ્રંથમાં મૂળ સ અને ઉદાહરણ રૂપે આવતાં પોની અનુક્રમણિકા પણ આપવામાં આવી છે. પંડિતજી દ્વારા સંપાદિત ગ્રંથની વિશિષ્ટતાઓ પંડિતજીને આ ગ્રંથનું કાર્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું હતું એટલે આ એક ઉચ્ચ કોટિનું કાર્ય ગણાય. ગ્રંથનું પ્રકાશન ઈ. સ. ૧૯૭૮માં થયું છે. આ ગ્રંથની જે વિશિષ્ટતાએ જણાઈ આવે છે તે આ પ્રમાણે છે : (૧) પંડિતજી દ્વારા પ્રાકૃત વ્યાકરણના મૂળ સૂત્રોની સંધિને વિચ્છેદ કરવામાં આવ્યો છે જેથી સત્રા સરલતાથી સમજી શકાય. આ એક નેાંધવા જેવી બાબત છે અને પંડિતજી એ સો પ્રથમ એવી પહેલ કરી છે. નીચે થોડાંક ઉદાહરણે જઈએ. સૂત્ર-સંખ્યા સંધિયુક્ત સંધિ વગર ૮-૧-૬ ન સુવર્ણસ્યા છે ન ઈ ઉ (યુ) વ સ્ય અસ્તે ! ૮-૧-૨૩ મોનુસ્વાર ! મ: અનુસ્વાર: ૮-૧-૨૬ વક્રાધાન્તઃ | વિકાદો અન્તઃ | ૮-૨-૧૪૬ કસ્તુમણ-દુઆણઃ | કઃ તુમ્ -અતૂહા-દુઆણુ ! ૮-૩-૫૩ ઈશુમમામા ઈસુમ–અમ-આમાં ! ૮-૪-૨ કથર્વજજરપજજ રોપાલ ... કથેઃ વજજર–પજજર–ઉપાલ:...! ૮-૪-૧૨ નિદ્રાતે રોહીધે નિદ્રાતઃ આહીર-ઉધે ! (૨) પંડિતજીએ મૂળ સૂત્રો ઉપરની પવૃત્તિ તો નથી આપી પણ તેને અને ઉદાહરણ રૂપે અપાયેલાં પદ્યોને ગુજરાતી અનુવાદ આપ્યા છે. મૂળ ગ્રંથમાં પ્રાકૃત શબદ અને રૂપે સાથે જ્યાં જ્યાં સંસ્કૃત રૂપાંતર નથી મળતાં ત્યાં ત્યાં સંત રૂપાન્તર અને ગુજરાતી અનુવાદ પણ આપ્યાં છે, જેમ કે જવ, તાવ માટે યાવત, તાવત ; જસો, તમો માટે યશસૂ, તમસ; ગામં વસામિ નયર ન જમિ માટે ગ્રામ વસામિ, નગર ન ચામિ વગેરે. ગુજરાતી અનુવાદ આપવાથી આજકાલનો વિદ્યાથી સરળતાથી સમજી શકશે. આ હેતુ સિદ્ધ થયો છે. (૩) અમુક જગ્યાએ પ્રાકૃત શબ્દોની સરખામણીમાં સંસ્કૃત શબ્દો આપવાથી મોટો લાભ થશે છે. જેમ કે સૂત્ર ૮-૧-૨૪ “વા સ્વરે મચ્ચ” પ્રમાણે અન્ય “મ્' અથવા અન્ય વ્યંજનને અનુસ્વાર થાય છે. અહીં અનેક ઉદાહરણોમાં બે ઉદાહરણ “ઈK ” અને “ઈચં'ના છે પણ સરખામણું રૂપે સંસ્કૃત રૂપના અભાવમાં સ્પષ્ટ સમજૂતી થતી નથી. અન્ય વિદ્વાનેએ અને પિશલે પણ એમના માટે સંસ્કૃત રૂપે આયા નથી; જયારે પંડિતજીએ પ્રથમ રૂ૫ માટે “ધક” અને બીજા માટે ધકક' આપીને આપણાં જ્ઞાનમાં વધારો કર્યો છે અને પ્રાકૃત રૂપોની ઉ૫ત્તિને સ્પષ્ટ ખ્યાલ આપ્યા છે. આ બન્ને સંસકત શબ્દોનો ઉપયોગ વેદ સુધી જ મર્યાદિત રહ્યો છે અને પછીના સંસ્કૃત સાહિત્યમાં એમને પ્રયોગ થયો નથી. એના ઉપરથી સ્પષ્ટ જાણી શકાય કે પ્રાકૃત ભાષાની ઉત્પત્તિ શિષ્ટ સંસ્કૃતમાંથી થઈ હોય એમ લાગતું નથી. (૪) મૂળ ગ્રંથમાં આવતા ઉદાહરણે વિષે જ્યાં જ્યાં જરૂરી લાગ્યું ત્યાં ત્યાં પંડિતજીએ સમજૂતી આપી છે અને આલોચના પણ કરી છે. જેમ કે સૂત્ર નં. ૮-૧-૧૭ પ્રમાણે “ક્ષુબ્ધ” ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy